SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ બિન-al I [૨૭]. દ્રવ્ય અને ભાવસ્તવનું ફળ. ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવની આરાધના કરનાર વધારેમાં વધારે બારમા દેવલોકે જાય, અને ભાવસ્તવથી તે પ્રાણુ અંતર્મુહૂર્તમાં પણ નિર્વાણપદને પામે છે. દ્રવ્યસ્તવમાં તે આશ્રવ ગણવા લાયક નથી. દ્રવ્યસ્તવમાં જે કે ષકાયના ઉપમર્દનરૂપ કેઈક વિરાધનાનો સંભવ છે. પણ કૂવાના દાંતથી તે દ્રવ્યસ્તવ કરવો ઉચિત જ છે, કેમકે તેમાં કરનાર, જેનાર અને સાંભળનારને અગણિત પુણ્ય થાય છે. જેમ કેઈક નવા વસેલા ગામમાં નાનપાનને માટે કેને કૂવો ખોદતાં તરસ, થાક, અંગમલિન થવું, ઈત્યાદિક થાય, પણ કૂવામાંથી પાણી નીકળ્યા પછી તેમને કે બીજા લોકોને તે કુવો નાન, પાન, અંગશુચિ, તરસ થાક, અંગની મલીનતા વિગેરે ઉપશમાવી સર્વ કાળ સર્વ પ્રકારનાં સુખનો આપનાર થઈ પડે છે, તેમ દ્રવ્યસ્તવથી પણ સમજવું. તેમજ આવશ્યકનિર્યુક્તિમાં પણ કહે છે કે “સંપૂર્ણ માર્ગ સેવન નહીં કરી શકનારા, વિરતાવિરતી જે દેશવિરતિ (શ્રાવક) તેઓને કૂવાના દષ્ટાંતથી સંસારને પાતળે કરનાર એ દ્રવ્યસ્તવ કરવો યુક્ત છે.”બીજે ઠેકાણે પણ કહેલ છે કે – આરંભમાં પ્રસક્ત (આરંભને વળગી રહેવા), છ કાયના જીવના વધને ત્યાગ કરી શકેલા નહીં એવા, સંસારરૂપ અટવીમાં પડેલા ગ્રહસ્થને દ્રવ્યસ્તવ જ આલંબન (આધાર) છે.” વાયુના જેવા ચપળ, મોક્ષપદને અંતરાય કરનાર, ઘણા છે સ્વામી જેના, એવા સાર વગરના થોડા ધનથી, સ્થિર ફલને આપનારી, નિર્વાણને સાધનારી, પિતાને આધીન એવી જિનેશ્વર ભગવંતની પૂજા કરીને જે વાણિ સારામાં સાર, નિર્મળ પુણ્ય ગ્રહણ કરે છે, તેજ વાણિયે વ્યાપારના કામમાં નિપુણ ગણાય છે. પૂજાના મનોરથથી પણ થતાં પુણ્ય. દેરે પૂજા કરવા જઉં એવું ચિંતવન કરતાં ચોથભક્ત(એક ઉપવાસ)નું ફળ, અને જવાને ઊઠે તો છઠ્ઠનું ફળ, ત્યાંથી ઊઠી પગલું ભર્યા અઠ્ઠમનું ફળ, માર્ગમાં ચાલતાં શ્રદ્ધાલુને દશમ( ચાર ઉપવાસનું ફળ, દેરાસરને દરવાજે આવે ત્યારે પાંચ ઉપવાસનું ફળ, દેરાસરમાં આવે ત્યારે પાક્ષિક(પંદર ઉપવાસ )નું ફળ, અને જિનેશ્વર ભગવંતને પિતાની દષ્ટિથી દેખતાં (દર્શન કરતાં) એક મહિનાના ઉપવાસનું ફળ પ્રાણ પામે છે. પદ્ધચરિત્રમાં પણ ઉપર પ્રમાણે કહેલું છે અને વિશેષ એટલું જ છે કે -જિનેશ્વર ભગવંતના દેરાસરમાં ગયાથી છ માસના ઉપવાસનું ફળ, ગભારાનાં દરવાજા આગળ ઉભા રહેતાં એક વર્ષના ઉપવાસનું ફળ, પ્રદક્ષિણા કરતાં સો વર્ષના ઉપવાસનું ફળ, અને ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy