SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] श्राद्धविधिप्रकरण | પૂજા કે આંગી બની શકે એવી પૂજાની સામગ્રી પેાતાની પાસે ન હાય તા તે આંગીન દર્શનના લાભ લેવાથી ઉત્પન્ન થતા પુણ્યાનુબંધી પુણ્યના અંતરાય થવાના કા તે પૂર્વની આંગી ઉતારે નહીં. પણ તે આંગી પૂજાની વિશેષ શાલા અની શકે એ હાય તા પૂર્વ પૂજા ઉપર વિશેષ રચના કરે પણ પૂર્વ પૂજા વિચ્છિન્ન કરે નહીં. માટે બૃહદ્ ભાષ્યમાં કહેલુ' છે કેઃ— “ હવે કાઈ ભવ્યજીવે ઘણુા દ્રવ્યવ્યય કરી દેવાધિદેવની પૂજા કરેલી હાય તે તેજ પૂજાને વિશેષ શેાભા થાય તેમ જો હોય તે તેમ કરે.” અહિયાં કાઈ એમ શ કરે કે, પૂર્વની આંગી ઉપર ખીજી આંગી કરે તે પૂર્વની આંગી નિર્માલ્ય થઇ. તેને ઉત્તર આપતાં ખતાવે છે કે,— “ નિર્માલ્યના લક્ષણના અહિંયાં અભાવ હેવાથી પૂર્વની આંગી ઉપર બીજી આંગી કરે તેા તે પૂર્વની આંગી નિર્માલ્ય ન ગણાય. નિર્માલ્ય કાને ગણાય તે ખતાવે છે–જે દ્રવ્ય પૂજા કીધા પછી વિનાશ પામ્યું, પૂજા કરવા ચેાગ્ય ન રહ્યું તે નિર્માલ્ય ગણાય છે, એમ સૂત્રના અર્થાંને જાણુનારા ગીતાક્ષ કહે છે. ” “ જેમ એક દિવસે ચડાવેલાં વસ્ત્ર, આભૂષણાદિક કુંડળ જોડી તેમજ કડાં વિગેરે બીજે દિવસે પણ ફરીથી આરેાપણ કરાય છે, તેમજ આંગીની રચના કે પુષ્પાદિક પણ એક વાર ચડાવેલી ડાય તે ઉપર ફરીથી બીજા ચડાવવાં હાય તે પણ ચડાવાય છે. અને તે ચડાવતાં છતાં પણ પૂર્વનાં ચડાવેલાં પુષ્પાદિક નિર્માલ્ય ગણાતાં નથી. જો એમ ન હેાય તા એકજ રેશમી વસ્ત્રથી એકસેસ આઠ જિનેશ્વર ભગવતની પ્રતિમાને અગલુંછન કર્નારા વિજયાદિક દેવતા જ બુઢીપપન્નતીમાં કેમ વર્ણન કરેલા હોય ? નિર્માલ્યનું લક્ષણ. જે કાઇ વસ્તુ એક વાર ચડાવેલી શાભા રહિત થઈ જાય, અથવા ગંધરહિત અને કાન્તિ રહિત થયેલી હાય, દેખનારા ભવ્ય જીવેાને આનંદાયક ન થઈ શકતી હાય તેને નિર્માલ્ય ગણવી, એમ મહુશ્રુત પૂર્વાચાએ સંધાચારની વૃત્તિમાં કહેલું છે. વળી પ્રદ્યુમ્ન સૂરિ મહારાજે કરેલા વિચારસારપ્રકરણમાં તે એમ પણ કહેલ છે કેઃ— “ દેવદ્રવ્યના એ ભેદ હાય છે. ૧ પૂજા માટે કપેલું, ૨ નિર્માલ્ય થયેલું. ૧ જિન પૂજા કરવા માટે ચંદન, કેસર, પુષ્પ, પ્રમુખ તૈયાર કીધેલું દ્રવ્ય પૂજા માટે પેલું કહે. વાય છે, એટલે પૂજા માટે કલ્પ્યા પછી ખીજા ઉપયોગમાં વપરાય નહીં, પણ દેવની પૂજામાં ઉપયાગી છે. ૨ અક્ષત, ફળ (બદામ ), નૈવેદ્ય, વસ્ત્રાદિક જો એક વાર પૂજાના ઉપયેાગમાં આવી ગયું એવા દ્રવ્યના સમુદાય તે પૂજા કીધા પછી નિર્માલ્ય ગણાય છે, અને તે દ્રવ્યના દેરાસરમાં ઉપયાગ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy