SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કરતા નથી. જન્મભૂમિ પંચાંગનો આધાર લઈ એક તિથિ વર્ગ આરાધનાનું જે પંચાંગ બનાવે છે, તેમાં આ બાર પર્વતિથિઓનો ક્યારેય ક્ષય કરવામાં આવતો નથી અથવા તેમની વૃદ્ધિ થવા દેવામાં આવતી નથી. તેમની આ માન્યતાને ખગોળના નિયમો ગણકારતા નથી, એટલે લૌકિક પંચાંગોમાં તો અન્ય તિથિઓની જેમ પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ પણ આવે છે. એ સંયોગોમાં એક તિથિ તરીકે ઓળખાતો વર્ગ શું કરે છે? તેઓ જે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવતી હોય તેની આગળની અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરે છે. એટલે કે લૌકિક પંચાંગમાં દાખલા તરીકે બે સુદ બીજ આવતી હોય તો તેઓ બે એકમ લખે છે, એટલે કે પ્રથમ બીજને તેઓ બીજી એકમ બનાવી દે છે અને બીજ તરીકે બીજી બીજને જ માને છે. આ ફેરફારનો ખ્યાલ નીચેના કોઠાઓ ઉપરથી આવશે. લૌકિક પંચાંગ વાર એક તિથિનું પંચાંગા એકમ સોમાં એકમાં બીજ મંગળ, એકમાં બીજ બુધા બીજ સંવત ૨૦૬૧નું જન્મભૂમિ પંચાંગ બારીકાઈથી જોતાં ખ્યાલ આવશે કે તેમાં બે સુદ પાંચમ છે. ઉપર જણાવેલી પરંપરા પ્રમાણે એક તિથિ પક્ષ બે પાંચમ હોય ત્યારે બે ચોથ કરે છે, પણ અહીં તો ચોથના દિવસે સંવત્સરી હોવાથી તેમણે પોતાના પંચાંગમાં બે પાંચમના સ્થાને બે ચોથ ન કરતાં નીચે મુજબ બે ત્રીજ કરી છે. લૌકિક પંચાંગ વાર એકતિથિ બે તિથિ - રવિ ૧ ૧ ૨ સોમ ૨ ૨ ૩ મંગળ ૩ ૩ બુધ ૩ ૪ ગુરુ ૪ શુક્ર આ ફેરફારના કારણે એકતિથિ વર્ગની સંવત્સરી બુધવારના બદલે ગુરુવારે II a we on I ld wwe ૧૨ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001767
Book TitleParvatithina Bhavsatyani Raksha Karie
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy