SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ગણતો જ્યારે ચાન્દ્ર અને સૌર અનુક્રમે ૩૫૪ અને ૩૬૬ દિન પ્રમાણુ ગણાતા, તેથી એકની અપેક્ષાયે ૬ અહોરાત્ર ઘટતાં અને બીજાની અપેક્ષાએ ૬ વધતાં. - ઉક્ત હાનિ અને વૃદ્ધિ સદા નિયત રહેતી હોવાથી પને અંગે વાંધા નહેતા ઉઠતા પણ તે પછી પ્રાચીન જ્યોતિષનું સ્થાન નવીન જ્યોતિષે લીધું એટલે પ્રાચીન જ્યોતિષ માત્ર પુસ્તકમાં રહી ગયું. વિક્રમની ત્રીજી શતાબ્દી પછી ભારતમાં વ્યાપકરૂપે નવ્ય જ્યોતિષપદ્ધતિ દાખલ થઈ અને સમય સમય પર સંસ્કારો વડે પરિષ્કૃત થતી તેજ પદ્ધતિ આજ પર્યત ચાલી રહી છે. ૩. પર્વારાધનમાં પરિવર્તન. ઉપર જણાવ્યા પ્રમાણે નવ્ય જ્યોતિષપદ્ધતિ વિક્રમની ચતુર્થ શતાબ્દીમાં દાખલ થવા છતાં વિક્રમની અગ્યારમી શતાબ્દી સુધી પર્વતિથિને અંગે જૈન સંઘમાં કઈ મતભેદ પડે જણાતો નથી. શ્રી કાલકાચાર્યે પ્રતિષ્ઠાનમાં ભાદવા શુદિ ૪ ના દિવસે પર્યુષણ પર્વ કર્યું ત્યારથી સર્વ શ્રમણસંઘે ચતુર્થી જ કાયમ રાખી, પણ ત્રણ ચૌભાસી પર્વે જે પૂર્વે પૂનમના દિવસે થતાં હતાં તે ચૌદશે કરવાનું નિશ્ચિત થયું અને આજ સુધી તેજ પ્રમાણે કરાય છે, પણ આ ચૌમાસી પ પૂર્ણિમાથી ચતુર્દશીમાં તેણે સ્થાપ્યા; એને સૂત્રોમાં કોઈ લેખ નથી, કેઇના મત પ્રમાણે ચૌમાસી અને પર્યુષણની વચ્ચેના ૫૦ અને ૭૦ દિવસનો મેળ મેળવવા માટે કાલકાચાર્યે જ માસી પ ચતુર્દશામાં રાખ્યાં હતાં, જ્યારે કોઈના કહેવા પ્રમાણે સ્વાતિસૂરિથી પહેલવહેલું ચૌમાસી પર્વ ચતુર્દશીમાં થયું હતું, આ વિષયમાં નીચે પ્રમાણે એક પ્રકીર્ણક ગાથા ઉપલબ્ધ થાય છે. "बारसवाससएसु, पन्नासहिएसु वद्धमाणाओ। चउदसिपढमपवेसो पकप्पिओ साइसूरीहि ॥ ६३॥" ( रत्नसंचयप्रकरण, प० ३२) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy