SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ બંને પક્ષની માન્યતા ખંડન મંડન સહિત તેમજ લવાદી ચર્ચાનો ર તિથિપક્ષની તરફેણમાં આવેલો ચૂકાદો વગેરે વિસ્તારથી જૈન દષ્ટિએ તિથિરિન અને પર્યારાધન” વગેરે પુસ્તકોમાંથી જાણી શકાય છે. હવે 1 તિથિપક્ષની માન્યતા કેવી રીતે અસત્ય છે તે જોઈએ ૧ તિથિપક્ષની માન્યતા ખોટી શા માટે ? અહીં પહેલી વાત એ છે કે ૧ તિથિપક્ષની માન્યતા મુજબ જે પતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય' (૧) એવો કોઈ શાસ્ત્રાધાર નથી (૨) આવી કોઈ પ્રાચીન સુવિહિત પરંપરા નથી જગદ્ગુરુ શ્રી હીરસૂરિ મહારાજાના સમયમાં પર્વ તિથિની પણ ક્ષયવૃદ્ધિ થતી હતી તે નીચેના હરિપ્રશ્નોત્તરના પ્રમાણ પરથી જાણી શકાશે. प्रश्न :- पूर्णिमाऽमावस्ययोर्वद्धौ पूर्वमौदयिकी तिथिराध्यत्वेन व्यवहियमाणाऽऽसीत् । केनचिदुक्तं श्री तातपादाः पूर्वतनीमाराध्यत्वेन प्रसादयन्ति तत्किमिति ॥५॥ उत्तरम् :- पूर्णिमाऽमावास्ययोवृद्धौ औदयिक्येव तिथिराध्यत्वेन विज्ञेया । અર્થ:- પુનમ અમાસની વૃદ્ધિ હોય ત્યારે પહેલાં તે ઔદેયિકી બીજી તિથિ આરાધ્ય ગણાતી હતી. પણ કોઈક એમ કહે છે કે આપ પહેલી તિથિને આરાધ્ય જણાવો છો ? તો તે કેમ ? ઉત્તર : પુનમ અમાસની વૃદ્ધિમાં ઔદયિકી બીજી તિથિ જ આરાધ્ય તરીકે જાણવી. 10 | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001756
Book TitleTithi Prashne Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages48
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy