SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ તિથિ હોય તે સંપૂર્ણ તરીકે માનવી પણ વધારે હોવા છતાં ઉદયમાં ન હોય તો ન માનવી.' શ્રી ઉમાસ્વાતિજી મહારાજનો પ્રઘોષ આ પ્રમાણે સંભળાય છે કે, “ક્ષયમાં પૂર્વ તિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિમાં ઉત્તર તિથિ ગ્રહણ કરવી. શ્રી વીરપ્રભુનું નિર્વાણ કલ્યાણક લોકના અનુસાર કરવું.' શ્રી તીર્થકર દેવોના જન્મ આદિ પંચ કલ્યાણકના દિવસો પણ પર્વતિથિ તરીકે જાણવા. બે, ત્રણ આદિ કલ્યાણક દિવસો વિશેષ જાણવા. આગમમાં પણ શુભ આયુષ્યના બંધના હેતુ આદિ વડે પર્વતિથિની આરાધનાનું મહાફળ બતાવ્યું છે. આગમસૂત્ર આ પ્રમાણે – ‘ભગવાન્ ! બીજ પ્રમુખ પાંચ તિથિમાં કરેલ ધર્મ અનુષ્ઠાનનું શું ફળ હોય ? હે ગૌતમ ! બહુ ફલ હોય, કારણ કે એ તિથિઓમાં જીવો પરભવનું આયુષ્ય ઉપાર્જન કરે છે, તે કારણથી (તે દિવસોમાં) તપ, ઉપધાન આદિ ધર્મ અનુષ્ઠાન કરવાં, જેથી શુભ આયુષ્ય ઉપાર્જન થાય. (૩) શ્રી હીપ્રશ્નોત્તરાણિઃ ઉત્તરદાતા :- અકબર બાદશાહ પ્રતિબોધક જગદ્ગુરુ પૂ. આ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. સમુચ્ચયકાર - પંડિત ઉપા. શ્રી કીતિવિજયજી ગણિવર. રચના સમય :- સોળમો સૈકો. પ્રકાશક :- શ્રી જૈન યુવકોદય મંડલ રાધનપુર, - વીર સં. ૨૪૪૦, વિક્રમ સં. ૧૯૭૦. પ્રશ્ન :- પર્યુષvોપવાસ: નીમણે વા? પાછા उत्तरम् - पर्युषणोपवासः षष्ठकरणसामर्थ्याभावे पञ्चमीमध्ये गण्यते, नान्यथेति ।।७।। (પૃ. ૨૦) પ્રશ્ન : પર્યુષણાનો ઉપવાસ પંચમીમાં ગણાય કે નહિ ? -પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ ———- ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001751
Book TitleParvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Original Sutra AuthorN/A
AuthorSaddharm Samrakshak Samiti Mumbai
PublisherSadDharm Samrakshak Samiti Mumbai
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy