SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ [40] ઢાળ 15 છે. તે વસ્ત્રને મેલ ઉપર ઉપરથી દૂર કરે એટલે કઠિન અને શ્રમસાધ્ય નથી, એટલે ચિકાશ દૂર કરવામાં છે. અર્થાત્ મેલ દૂર કરતાં ચિકાશ દૂર કરવી એ કષ્ટસાધ્ય છે. જે એક વાર ચિકાશપણું દૂર થઈ જાય તે બાકીને મેલ દૂર કરવામાં કિવા કારણવશ ફરી લાગેલા મેલને દૂર કરવામાં વિશેષ શ્રમ પડતો નથી અને વસ્ત્રને અસલી સ્વરૂપમાં સહજમાં લાવી શકાય છે. ઉપર ઉપરનો મેલ દૂર કરવામાં જે બળ વપરાય છે એની સદશ “યથાપ્રવૃત્તિકરણ” છે, ચિકાશપણું દૂર કરવામાં વિશેષ બળ તથા શ્રમની સમાન “અપૂર્વકરણ છે, કે જે ચિકાશની સરખી રાગદ્વેષની તીવ્રતમ ગ્રથિને શિથિલ કરે છે. બાકી બચેલા મલ કિવા ચિકાશ દૂર થયા બાદ ફરીને લાગેલા મલને દૂર કરવાવાળા બળ-પ્રયોગની સમાન “અનિવૃત્તિકરણ” છે. ઉક્ત ત્રણેય પ્રકારના બળ-પ્રવેગમાં ચિકાશ દૂર કરવાવાળો બળ-પ્રયાગ જ વિશિષ્ટ છે. એ પ્રકારે અપૂર્વકરણરૂપ પરિણામ દ્વારા રાગદ્વેષની અતિ તીવ્રતા મટી ગયા પછી દર્શનમોહ પર વિજય પ્રાપ્ત કરવો સહજ છે. દર્શનમેહ છતાયે એટલે પહેલા ગુણસ્થાનની સમાપ્તિ થઈ. ઉક્ત પ્રમાણે હેચે છતે જ વિકાસગામી આત્મા સ્વરૂપનું દર્શન કરી શકે છે અર્થાત્ આજ સુધી તે આત્માની જે છીપમાં રૂપાની બ્રાતિની જેમ પરરૂપમાં સ્વરૂપની ભ્રાન્તિ હતી તે દૂર થઈ જાય છે. એથી જ તેના પ્રયત્નની ગતિ ઊલટી નહિ થતાં સીધી બની રહે છે અર્થાત તે વિવેકી બનીને કર્તવ્ય-અકર્તવ્યને વાસ્તવિક વિભાગ કરી લે છે. આ દશાને જૈનશાસ્ત્રમાં “અન્તરામભાવ' કહેવાય છે, કારણ કે આ સ્થિતિ પ્રાપ્ત કરીને વિકાસગામી આત્મા પોતાની અંદર વર્તમાન સૂક્ષમ અને સહજ એવા શુદ્ધ પરમાત્મભાવને દેખાવા લાગે છે, અર્થાત્ અન્તરાત્મભાવ એ આત્મમંદિરનું ગર્ભદ્વાર છે, જેમાં પ્રવેશ કરીને તે મંદિરમાં વર્તમાન પરમાત્મભાવરૂપ નિશ્ચય દેવનું દર્શન કરી શકે છે. આ દશા વિકાસક્રમની ચતુર્થી ભૂમિકા કિવા ચતુર્થ ગુણસ્થાનક છે, જેને પામીને આત્મા પ્રથમ વાર જ આધ્યાત્મિક શાંતિને અનુભવ કરે છે. આ ભૂમિકામાં આધ્યાત્મિક દષ્ટિ યથાર્થ (આત્મસ્વરૂપોન્મુખ) હેવાના કારણે વિપર્યાયરહિત હોય છે, જેને જૈન શાસ્ત્રમાં સમ્યગુદષ્ટિ કિવા “સમ્યક્ત્વ' કહે છે. - અત્ર ચૌદ ભૂમિકાને-ગુણસ્થાનનો વિચાર નહિ કરતાં ચતુર્થ સમ્યગદષ્ટિ ગુણરથાન સુધીનું કથન કર્યું છે. આત્મવિકાસની શરૂઆત આ ભૂમિકા પ્રાપ્ત થયા પછી જ ગણતરીમાં લેખાય છે. આ ચતુર્થ ભૂમિકા પામેલો આત્મા ઉત્ક્રાંતિક્રમમાં આગળ વધતા પંચમ આદિ ગુણસ્થાનની પ્રાપ્તિ થતાં ઉત્તરોત્તર વિકાસ અને દષ્ટિની શુદ્ધતા અધિકાધિક હોય છે. એ રીતે વિકાસક્રમમાં આગળ વધતા આધ્યાત્મિક શાન્તિના અનુભવથી વિશેષ બળવાન થઈ, ચારિત્રમેહને નષ્ટ કરી, છેવટે અઘાતિ કર્મને નાશ કરી પૂર્ણ સ્થિરતાસ્વરૂપ છેલલી-ચરમ અવસ્થા અર્થાત્ ચૌદમા ગુણસ્થાનને પામી પૂર્ણ શુદ્ધ સ્વરૂપી પરમાત્મઅવસ્થાને પ્રાપ્ત કરી કૃતકૃત્ય બને છે....પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy