SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ] ध्यानविचार-सविवेचन જીવને જુદાં જુદાં સ્થાનોમાં કે જુદી જુદી અવસ્થાએામાં લઈ જનાર કર્મ–પ્રકૃતિ છે. કર્મના યેગે જ ગતિ–આગતિ થાય છે. કર્મને સર્વથા વિયેગ થયા પછી પુનઃ કદાપિ સંગ થતો નથી. તેથી સિદ્ધ સાદિ-અનંત સ્થિતિએ અક્ષય-અનંત- અવ્યબાધ સુખમય સહજ શુદ્ધ-સ્વરૂપની રમણતામાં લયલીન રહે છે. એક સિદ્ધ પરમાત્માની અપેક્ષાએ તેમને કાળ સાદિ-અનંત છે, પણ અનેક સિદ્ધોની અપેક્ષાએ અનાદિ-અનંત સ્થિતિ હોય છે. (૬) અંતર – સિદ્ધ અવરથા શાશ્વત–સનાતન હોવાથી તેમને પુનઃ પતન કે અવસ્થાનાંતર અભાવ હોય છે તેથી તેમને “અંતર પડતું નથી. (૭) ભાગ – સિદ્ધાત્માઓ સંખ્યાની દૃષ્ટિએ સંસારી જી કરતાં અનંતમા ભાગમાં છે અર્થાત્ સિદ્ધ કરતાં સંસારી જીવોની સંખ્યા અનંતગુણ અધિક છે. એક નિગોદમાં પણ અનંત જ હોય છે, તેની અનંતમા ભાગની સંખ્યાવાળા છ જ મેક્ષમાં જાય છે. (૮) ભાવ-ભાવ એટલે પર્યાય-અવસ્થા. સિદ્ધ ભગવંતોમાં ક્ષાયિક અને પરિણામિક બે ભાવ હોય છે. તે ભાવ(અવસ્થા)માંથી તેઓ કદાપિ ચલિત થતા નથી. ક્ષાયિક ભાવ – કમનો ક્ષયથી પ્રગટેલો ભાવ તે ક્ષાવિકભાવ છે. સિદ્ધ ભગવતેના સર્વ કર્મો ક્ષય પામેલાં હેવાથી તેઓમાં અક્ષય જ્ઞાન, અક્ષય દર્શન, અક્ષય ચારિત્ર અને અક્ષય સુખ-વીર્ય આદિ અનંત ગુણ ક્ષાયિકભાવે રહેલા હોય છે. પરિણામિક ભાવ- સર્વ સિદ્ધ ભગવંતમાં “જીવત્વ પારિણામિક ભાવે રહેલું છે. () અ૫ બહ-મેક્ષના અધિકારી – પુરુષ, સ્ત્રી અને નપુંસક હોય છે. તેમાં સૌથી અલ્પ સંખ્યામાં નપુસકે સિદ્ધ થાય છે. તેના કરતાં સંખ્યાતગુણી સંખ્યામાં સ્ત્રીઓ અને તેનાથી પણ સંખ્યાતગુણ સંખ્યામાં પુરુષે સિદ્ધ થાય છે. સિદ્ધ-સ્વરૂપના ધ્યાનની એક પ્રક્રિયા છે. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજકૃત “ઉપદેશ-પદ'ની વૃત્તિમાં – સુદર્શન શેઠને અભયારાણી સાનુકૂળ ઉપસર્ગ કરે છે તે વખતે પોતાની પ્રતિજ્ઞાનું અખંડપણે પાલન થાય અને આવી પડેલો ઉપસર્ગ નિષ્ફળ જાય, તે માટે તેઓ સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં લીન બની જાય છે – એમ જણાવી તેમણે કરેલા ધ્યાનનું આ પ્રમાણે વર્ણન કર્યું છે : "सो सविसेसं पच्चक्खाण-डाणे मणं निरूभित्ता 'सिद्ध सिलोवरि सरहिंदु-कुंद-संखुज्जलच्छाएं' अप्पाणं द्वावित्ता तद्देस समीववत्तिणो सिद्धे धुणियासेस किलेसे निउणं परिचिंति અર્થ :-તે સુદર્શન શેઠ તે સમયે (અભયા રાણએ અનુકૂળ ઉપસર્ગ કતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy