SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય : ૮ : રહેલા અને આંખો મીંચીને સ્તનપાન કરતા બાળકના મર્મપ્રદેશ ઉપર પડી. મર્મસ્થાને લાગેલા પ્રહારથી વિવશ થયેલો તે બાલક તત્કાલ મૃત્યુ પામ્યો. તેને મૃત્યુ પામેલો જોઈ તેની માતા એકદમ ધરતી પર ઢળી પડી અને દુઃખથી વ્યાકુલ હદયે પોકાર કરવા લાગી કે “હું ચેરાઈ ગઈ, ચોરાઈ ગઈ, હણાઈ ગઈ, હણાઈ ગઈ” આ શું થયું ? એમ બોલતે વરાહમિહિર પણ ચિરકાળ પર્યત રડ્યો. તે નિર્દય! હત વિધિ! પુન્યરહિત એવા મને પાછલી વયમાં પુત્રરત્નરૂપી નિધાન આપીને મારે તે હંમેશને ઉદ્ધાર કરી નાખે. રાજા વગેરે નગરજને પુત્રના જન્મ વખતે જેમ સુખી થયા હતા તેમ તેના મરણ વખતે દુઃખી થયા. ત્યાં એટલું કલ્પાંત થવા લાગ્યું કે જે વાણીમાં પણ મૂકી શકાય તેમ નથી. આ પ્રસંગે આગમના સારના જ્ઞાતા શ્રી ભદ્રબાહુ ગુરુ પણ ત્યાં આવ્યા. રાજા વગેરેએ તેમનું સ્વાગત કર્યું અને તેઓ સુખપૂર્વક ત્યાં બેઠા. તેમણે વરાહમિહિરને કહ્યું કે:–ભદ્ર! સંસારના સ્વરૂપને જાણો એ પણ તું ક્ષણભંગુર લેકમાં શા માટે ફેગટ પુત્રને શેક કરે છે ! આ વિશ્વમાં એટલા આત્માઓ સાથે આપણે સંબંધમાં આવીએ છીએ કે કયા કયા સ્વજને માટે આપણું હદય શેક કરે! આ સઘળા ય જી એકેક જીવના પિતા, માતા પ્રમુખ સ્વજનપણા તરીકે અનંતીવાર થયા છે. આ પ્રકારના કર્ણમાં અમૃતરસનો પ્રવાહ રેડનારા અને શકનો સમુછેદ કરનારા વચનેથી ભદ્રબાહુએ જ્યારે તેને સારી રીતે સમજાવ્યું ત્યારે તેવા પ્રકારને દુષ્ટ એ પણ તે બ્રાહ્મણ ધર્મો. ભિમુખ થયું. તેણે કહ્યું કે, ભગવન્! મરણને જણાવનારૂં તમારું વચન તેને હું જ્યારે વિચાર કરું છું ત્યારે તે સત્ય અને અસત્ય એમ બન્ને પ્રકારનું લાગે છે. ગુરુએ પૂછયું, કેવી રીતે? વરાહમિહિરે કહ્યું, સાતમે દિવસે પુત્રનું મૃત્યુ થયું તે વાત સત્ય છે પણ બિલાડીના મુખથી મૃત્યુ થશે તે વાત અસત્ય છે. ગુરુએ કહ્યું કે તે બાલકનું મૃત્યુ શેનાથી થયું? વરાહમિહિરે કહ્યું કે દ્વારની અર્ગલાના પ્રહારથી થયું. ગુરુએ કહ્યું કે તે જુઓ કે તે કેવી છે? તેણે લઈને કેટલામાં અગલા જોઈ તેટલામાં બિલાડી કતરેલું તેનું મુખ તેની નજરે પડ્યું. જેને તે બતાવો તે કહે કે આ બિલાડી છે. પરંતુ આ બનાવથી વરાહમિહિરના જ્ઞાનની અત્યતા અને ભદ્રબાહુના જ્ઞાનની સત્યતા પૂરવાર થઈ ગઈ. નગરજને પણ આ વાત છડેચાકે કરવા લાગ્યા કે જેયું? વરહમિહિરનું જ્ઞાન જ્ઞાન તે છે ભદ્રબાહુમાં. બંને ભાઈ છતાં કેટલું અંતર છે? આ બધી વાતેએ અભિમાનના શિખર પર ચડેલા વરાહમિહિરના ગુસ્સાને ભભૂકાવ્યું. તેને જન સાધુઓ અને શ્રાવકો પર વિશેષ કરીને પ્રષિ થયે. મિથ્યાત્વને ઉદય તે ચાલુ જ હતો. અજ્ઞાનતપ અને કણકારી અનુષ્કાને તેણે શરુ કર્યો અને પોતાનું આયુષ્ય પૂર્ણ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy