SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ પ્રમાણે હમણાં કેવલ છત વ્યવહાર જ છે એવું નથી, કિંતુ અન્ય વ્યવહાર પણ છે એમ કહ્યું. હવે જીત વ્યવહાર કયારે કરો=ચલાવો તે કહે છે :-- જ્યાં જ્યારે આગમ આદિ ચાર વ્યવહારો ન હોય ત્યાં ત્યારે આ જીત વ્યવહાર કરે. કારણ કે સૂત્રમાં તે પ્રમાણે જણાવ્યું છે. આ જીત વ્યવહાર પણ મહાપુરુષોએ પરંપરાથી આચરેલ હોવાથી પ્રામાણિક છે. આથી ચાર વ્યવહારના અભાવમાં પણ તે કરાય છે. આ વિષે વહારમાં ઉ. ૧૦ (સૂ૦ ૩) માં સૂત્ર આ પ્રમાણે છે – “પાંચ પ્રકારના વ્યવહા રે કહ્યા છે. તે આ પ્રમાણે - આગમ, શ્રત, આજ્ઞા, ધારણું, ત. તેને (=સાધુને) આગમ હોય, તે તેણે (=સાધુએ) આગમથી વ્યવહાર ચલાવો. હવે જો ,, ન હોય, મૃત હોય તો તેણે મૃતથી , , , મૃત , હોય, આજ્ઞા , , , આજ્ઞાથી , ક , , , અજ્ઞા , હાચ, ધારણા , ધારણીથી , , , , ,, ધારણ ,, હોય, છત ,, , , જીતથી , , . આ પાંચ વ્યવહારોથી વ્યવહાર ચલાવવો. તે આ પ્રમાણે – આગમથી, મૃતથી, આજ્ઞાથી, ધારણથી, છતથી. તેને જેમ જેમ આગમ, શ્રત, આજ્ઞા, ધારણ અને જીત હેય તેમ તેમ વ્યવહાર ચલાવે. હે ભગવંત ! શું કહે છે ? આગમન બળવાળા શ્રમણ નિગ્રંથે આ પ્રમાણે પાંચ પ્રકારનો વ્યવહાર કરે છે. જ્યારે જયારે જ્યાં જ્યાં જે જે વ્યવહાર હોય ત્યારે ત્યારે ત્યાં ત્યાં તે તે વ્યવહારને રાગદ્વેષથી રહિત બનીને મધ્યસ્થભાવથી કરનારા શ્રમણ નિર્ગથે આજ્ઞાના આરાધક બને છે” અહી' કહેલા કમનું ઉલ્લંઘન કરીને વ્યવહાર ચલાવવામાં, એટલે કે આગમ હોવા છતાં શ્રત ચલાવવામાં, શ્રત હોવા છતાં આજ્ઞા વગેરે ચલાવવામાં, “ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત છે. (વ્ય. ઉ. ૧૦, ગા. પ૩ માં) કહ્યું છે કે “ઉ&મથી વ્યવહાર કરે તે “ચતુર્થ પ્રાયશ્ચિત્ત છે.” પ્રશ્ન –તો પછી સૂત્ર હોવા છતાં પર્યુષણ તિથિનું પરાવર્તન આદિ જીત વ્યવહાર ચલાવવામાં પ્રાયશ્ચિત્ત કેમ નહિ ? ઉત્તર- આ પ્રશ્ન બરોબર નથી. કારણ કે– ઉતકામને અર્થ બરાબર સમજાયો નથી. ઉલ્કમ ન કરે એનો અર્થ એ નથી કે એક વ્યવહાર હોય ત્યારે બીજો વ્યવહાર ન જ કર. એનો અર્થ એ છે કે, શ્રતધર વગેરે હોવા છતાં તેમને મૂકીને જતધરની પાસે પ્રાયશ્ચિત્ત વગેરે વ્યવહાર ચલાવવામાં જ પ્રાયશ્ચિત્ત આવે. જો એમ ન હોય, એટલે કે એક વ્યવહાર હોય ત્યારે બીજો વ્યવહાર કરવામાં પ્રાયશ્ચિત્ત આવે એમ હોય, તે આગમ હેય ત્યારે શ્રત વ્યવહાર વગેરેથી પણ પ્રાયશ્ચિત આવે. બીજું, જીત વ્યવહાર તીર્થ સુધી હોય છે, એટલે કે તીર્થ શરૂ થયું ત્યારથી આરંભી તીર્થ રહે ત્યાં સુધી જીત હોય છે. કારણ કે દ્રવ્યાદિને વિચાર કરીને વિરોધ ન આવે એ રીતે ઉત્સર્ગ અને અપવાદમાં પ્રયત્ન કરો એ જ પ્રાયઃ જીત વ્યવહાર છે. હા, એટલું વિશેષ છે કે સૂર્યના પ્રકાશમાં ગ્રહોને પ્રકાશ અંતર્ભાવ થઈ * જુઓ ભગવતી શ. ૮, ઉ. ૮, સુ. ૩૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy