SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૪ દુશ્મનતાના રૂપમાં બદલાય છે. તેને દ્વેષ કહેવાય છે. (૫) બીજાના દેને કહેવા એ પરિવાદ છે. (૬) જે પિતાને સાચા ધર્મથી અલગ કરે અને બીજાના ગુણની અનમેદના પણ ન કરાવે તે મત્સર છે. (૭) બીજાના ઉત્કર્ષને, ગુણેને સહન ન કરી શકે તે અસૂયા છે. (૮)પરસ્પર ક્રોધમાં માર–પીટ-ગાળેથી જે લાંબા સમય સુધી અભાવ ઉત્પન્ન થાય તે ઐર છે. (૯) અત્યંત તીવ્ર ગુસ્સાને પ્રગટ કરે અથવા શાંત થયેલા ક્રોધના અવિનાને જાગૃત કર એ પ્રચડન છે. આ બધા શ્રેષના સમાન અર્થવાળા અનેક શબ્દ છે, ઈર્ષામાં Àષવૃત્તિ ભરેલી પડી છે – સંસારમાં માનવીના મનમાં એક બીજા પ્રત્યે પણ ઈર્ષ્યા-દ્રષની મનવૃત્તિ ભરેલી પડી છે. ગુજરાતીમાં જેને અદેખાઈ–બાર” પણ કહે છે. અર્થાત્ આને આના તરફ બહુ ખાર છે. અર્થાત આ આને જોઈને પણુ બળે છે. આને બહુ જલન થાય છે. બીજાની ધન, સંપત્તિ, ચશકતિ વધતી જોઈને ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. કોઈના માન-સન્માન, પ્રતિષ્ઠા જોઈને પણ ઈર્ષ્યા-દ્વેષ ઉત્પન્ન થાય છે. સ્ત્રીઓમાં પરસ્પર ઈર્ષા વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. એક પ્રસંગ એવો છે કે એક પરિવારમાં બે સ્ત્રીઓ હતી. એક દેરાણું અને બીજી જેઠાણી સાસુસસરાના મૃત્યુ પછી બંને અલગ-અલગ થઈ ગઈ. પોતપોતાના જુદા ઘરમાં રહેવા લાગી. દેરાણીએ પોતાની ગરીબાઈ દૂર કરવાને માટે દેવીની ઉપાસના કરી અને દેવી પ્રત્યક્ષ હાજર થઈ અને વરદાન માંગવા કહ્યું. દેરાણીએ ઘર સંસારની આવશ્યક સાધન સામગ્રી ગાડી ...મકાન બંગલો વગેરે બધું માંગ્યું. દેવીએ આપ્યું. એકાએક દેરાણીને ઘણા સુખી શેઠાણીના રૂપમાં બંગલામાં રહેતી અને ગાડીમાં ફરતી જોઈને જેઠાણીની આંખમાં જાણે આગ ઉત્પન્ન થઈ તેણે જલન થવા લાગ્યું. આખરે ખબર મેળવી. પછીથી દેવીની સાધના પતે પણ કરવા લાગી. દેવી પ્રગટ થયા અને પૂછ્યું-તું શું ઈચ્છે છે? કહે જેઠાણીએ કહ્યું-તમે જે કાંઈ દેરાણીને આપો છે તેનાથી બમણું મને આપે. બસ! તે જ પ્રમાણે થયું. બીજા જ દિવસે જેઠાણીને ત્યાં બધું બમણું થઈ ગયું. પછી તો આ ક્રમ ચાલવા લાગ્યો. દેરાણી જે કંઈ પણ માંગે અને દેરાણીને જે પણ પ્રાપ્ત થાય. તેનાથી બમણું દેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001499
Book TitlePapni Saja Bhare Part 14
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy