SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂર છે. ‘જૈન ધર્મની ગીતા'નું ઉપનામ પામેલ ‘જ્ઞાનસાર’ ગીતાની જેમ જ સાધકને માટે સતત પથપ્રદર્શક બની રહે છે. અનેક વિદ્વાનોએ, સંત પુરુષોએ ‘જ્ઞાનસાર' ઉપર પોતપોતાની વિશિષ્ટ દૃષ્ટિથી અભ્યાસપૂર્ણ વિવેચનો રજૂ કરીને તેના ગૂઢાર્થોને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘જ્ઞાનસાર’ના શ્લોકોના વાચન દરમ્યાન મેં તેમાં ૨જૂ થયેલ એક-એક વિષયને લગતા વિવિધ શ્લોકોને એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આ રીતે concept (ખ્યાલ) પ્રમાણે વર્ગીકૃત કરીને તેનો અભ્યાસ થયો નથી. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જીવ, જગત, કર્મ, સાધનામાર્ગ વગેરે વિષયો પ્રમાણે તેના શ્લોકોને વિશ્લેષિત કરીને તેમાંથી તારવણી કરવાનો એક નમ્ર પ્રયત્ન અહીંયાં કર્યો છે. અહીં આ બધા વિષયના શ્લોકોની સમજૂતી આપવામાં ઉપાધ્યાયજીએ પોતે રચેલ ટીકા(સ્વોપજ્ઞ ટબા)ના અર્થને મુખ્ય ગણવામાં આવ્યો છે. એક સળંગ પ્રવાહની જેમ વહી જતી ‘જ્ઞાનસાર’ જેવી અખંડ કૃતિને આ રીતે વિશ્લેષિત કરવામાં આવે તે વાજબી લાગતું નથી; પરંતુ તત્ત્વચિંતનના ક્ષેત્રમાં ‘જ્ઞાનસાર’માંથી આપણને કયા પ્રકારનું ચિંતન પ્રાપ્ત થાય છે તે દૃષ્ટિએ જો અભ્યાસ કરવો હોય તો આવું વિશ્લેષણ વ્યવહારુ દૃષ્ટિએ કરવું જરૂરી પણ થઈ પડે. એ દૃષ્ટિએ આ વિશ્લેષણને સ્વીકારી શકાય. ‘જ્ઞાનસાર’માં રજૂ થયેલ ચિંતનને સમજવા માટે ઉપાધ્યાય યશોવિજયજીના જીવનની વિગતો અને કેટલીક પસંદગી કરેલ કૃતિનો પરિચય ભૂમિકારૂપ હોવાથી આપેલ છે. વળી આ કૃતિનું સળંગ વાચન થઈ શકે તે માટે તેના મૂળ સંસ્કૃત શ્લોકો આ પુસ્તકના અંતે આપવા ઉચિત ગણ્યા છે. મારા આ અભ્યાસ દરમ્યાન વિવિધ સ્તરે મને અનેક વ્યક્તિઓની સહાય મળતી રહી છે તેઓનો ઋણસ્વીકાર કરવો ઉચિત સમજીશ. ‘જ્ઞાનસાર’ ૫૨ વિવેચન લખનાર સૌ મહાનુભાવોનાં પુસ્તકોની મદદથી હું આ સ્વલ્પ અભ્યાસ કરી શકી છું. મારા માર્ગદર્શક ગુરુવર્ય ડૉ. વાય. એસ. શાસ્ત્રીસાહેબે મને આ અભ્યાસના આરંભથી અંત સુધી અનેક રીતે સહાય કરી છે, જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે, કે જેથી આ કામ થઈ શક્યું છે. ‘જ્ઞાનસાર’ના શ્લોકોમાં રજૂ થયેલ ગહન વિષયોને સમજવા માટે પૂ. આચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી તથા પૂ. આચાર્ય શ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજીએ Jain Education International 12 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001468
Book TitleGyansaranu Tattvadarshan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorMalti K Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2000
Total Pages198
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, Philosophy, & Ethics
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy