SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પણ પ્રતિષ્ઠા કરાવી. સં. ૨૦૧૬માં લાલાભાઈની પોળના શ્રી વિમળનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર પૂરો થતાં માગશર મહિને તેની પ્રતિષ્ઠા કરાવી. કલકત્તામાં કાર્તિકી પૂનમે જૈનોની અતિશય ભવ્ય એવી રથયાત્રા નીકળે છે. આ રથયાત્રામાં રથમાં બિરાજમાન કરવા માટે ધાતુની નાની પ્રતિમાની જરૂર ઊભી થઈ. એવી એક પ્રતિમા લાલાભાઈની પોળના દેરાસરે હતી. શ્રી વિજયનંદનસૂરિજીના પરમ અનુરાગી અને કલકત્તા સંઘના પ્રમુખ શેઠ સવાઈલાલ કેશવલાલને એ પ્રતિમા ખૂબ ગમી. ને તેમણે એની માંગણી કરી. શ્રીવિજયનંદનસૂરિજીની અનુજ્ઞા મેળવીને સલોત ફુલચંદભાઈ છગનલાલે એ પ્રતિમા કલકત્તા સંઘને અર્પણ કરી. આ પછી શેઠ સવાઈલાલને થયું કે, હું પણ આવી પ્રતિમા કેમ ન ભરાવું? વિચાર થયો ને તેઓ અમદાવાદ આવ્યા. તેમણે શ્રી વિજયનંદનસૂરિજીને કહ્યું: “મારે આવી પ્રતિમા ભરાવવી છે. કઈ રીતે થાય? આચાર્યશ્રીએ કહ્યું: “અંજનશલાકા કરાવવી પડે.” સવાઈલાલ કહે: “મારે પ્રતિમાજી ભરાવવાનાં નક્કી, પણ આપ અંજનશલાકા કરી આપતા હો તો. જ્યારે આપની અનુકૂળતા હોય ત્યારે ફરમાવજો. એમનો ઉત્સાહ અને ઉત્તમ ભાવો જોઈને શ્રી વિજયનંદનસૂરિજીને પણ ઉત્સાહ થયો. એમણે કહ્યું: “તમે અંજનશલાકા કરાવવા માંગતા હો, તો પછી તમારે એક નહિ, ચોવીશેય જિનેશ્વરોની ચોવીશ મૂર્તિઓ જ ભરાવવાની.” સવાઈલાલને કબૂલ જ હતું. એ કહેઃ “આપ જે કહો તે તહત્તિ, પણ શરત મારી એક જ કે તે આપે કરી આપવાના.” નક્કી થયું. અવસરે કાર્ય કરવાનું વિચારાયું. થોડોક સમય ગયો, ને ફરી સવાઈલાલભાઈ આવ્યા. વાત સંભારી કે “મારું કામ ક્યારે કરી આપો છો ?” આ વખતે તેઓશ્રીને નવો વિચાર આવ્યો, એમણે કહ્યું : “સવાઈલાલ ! તમે ૨૪ ધાતુની મૂર્તિઓ ભરાવો એના કરતાં એકવીસ ઇંચની પાષાણની મૂર્તિઓ જ ભરાવો તો કેમ?” સવાઈલાલ કહે: “કેમ, એવું પૂછવાનું નહિ, આજ્ઞા જ કરવાની. અને હું આમાં કાંઈ સમજું નહિ. મારે તો આપ અને ફુલચંદભાઈ કહો તે કબૂલ મંજૂર.” આ પછી સં. ૨૦૧૬માં વૈશાખ મહિને પાલિતાણામાં અંજનશલાકા કરવાનું નક્કી થયું. એ અનુસાર શ્રી વિજયનંદનસૂરિજી સપરિવાર વિહાર કરી પાલિતાણા આવ્યા. લગભગ ૩૫૦ જિનબિંબોની અંજનશલાકા એમની નિશ્રામાં, શંત્રુજયવિહાર ધર્મશાળામાં થઈ. એમનું સાત્ત્વિક માર્ગદર્શન, સવાઈલાલની ઉદાર ધર્મભાવના અને ફુલચંદભાઈની અદ્દભુત કાર્યશક્તિના પરિણામે ૧૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy