SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા : ૧૩ હણે છે. ધનરૂપી વૃક્ષમાં લાગેલા કીડાના જેવા પુત્રીવિષયક આ આચારાથી એ વૃક્ષ ખવાઈ જાય છે. પુત્રીએ ખરેખર વૈરિણીએ છે,” આ કવિની સૌથી વધુ નોંધપાત્ર ખાસિયત તેા છે અર્થાન્તરન્યાસી સૂક્તિએના પ્રચુર વિનિયાગ. બેત્રણ કડીએ આવી એક ઉક્તિ હાય જ. કથાના આરંભમાં જ જુએ. વિદ્યુત્પ્રભાની માતાના મૃત્યુની વાત થતાં કવિ કહે છે— “મૃત્યુ તેા સર્વદા સનાતન છે.” તરત વિદ્યુત્પ્રભાતા અવિરત ચાલતા ધરકામને અનુલક્ષીને કહે છે – “ગૃહધમી એને શાંતિ કત્યાંથી ?’વિદ્યુપ્રભાના ગતચેતન પિતા ધરની ચિંતા કરતા નથી, એટલે વળી કવિ એક તારણ મૂકે છે – “કુશિક્ષિતા ઉદય-અસ્તને જાણતા નથી.” વગેરે. આખી કથામાંથી આવી સે(એક જેટલી ઉક્તિ તા જરૂર ભેગી કરી શકાય. - આ બધું છતાં વિનયચન્દ્રસૂરિની આ કૃતિમાં કથાકાશલ કે કાવ્યરસની દૃષ્ટિએ પ્રભાવિત કરે એવું ઘણું છું છે એમ કહેવું જોઈએ. સuતિલકસૂરિવિરચિત આરામશાલાકથા (ર.ઈ.૧૩૬૬) હરિભદ્રસુર્રિવિરચિત સમ્યક્ત્વસપ્તતિ' સધતિલકસૂરિની વૃત્તિ સાથે પ્રકાશિત થયેલ છે તથા તદ ત ત આરામરાભાકથા' સ્વત ંત્ર રીતે પણ પ્રકાશિત થયેલ છે.૧૦ મૂલ ગ્રંથ પ્રાકૃતમાં છે, એની વૃત્તિ સંસ્કૃતમાં છે અને કથાના સંસ્કૃત તેમજ પ્રાકૃતમાં છે. આરામશાભાકથા પ્રાકૃત ભાષામાં મુખ્યત્વે ગદ્યમાં છે, માત્ર ૨૫ જેટલી ગાથાએ એમાં આવે છે. સતિલકસૂરિએ આ કથા જિનદેવ અને ગુરુ મન્નેના વૈયાવચ્ચ(સેવામુાષા)ના ઉદાહરણ તરીકે આપી છે. આથી એમાં કુલધરકન્યાએ માણિભદ્રને ઘેર રહીને કરેલી જિનભક્તિ ઉપરાંત ત્રિભુવનના ગુરુઓની અનેક પ્રકારની સેવાશુશ્રૂષાને વિશેષપણે ઉલ્લેખ મળે છે. સધતિલકસૂરિની કૃતિના આધાર દેવચન્દ્રસૂરિની કૃતિ જ છે અને કથાશેામાં એ એનાથી ભાગ્યે જ ફરક બતાવે છે, એ સ્થાને પણ મહત્ત્વનાં કહી શકાય. એવાં નથી, જેમકે — ૧. અહીં ગામનામ સ્થલાશ્રય નહીં પણ પલાશક(બલાસએ) છે. ૨. અગ્નિશર્માની પત્નીનું નામ વલનશિખા નહી. પણ અગ્નિશિખા છે. ૩. દેવચન્દ્રની કૃતિમાં વિદ્યુત્પ્રભા આંખા ચાળતી હતી તેથી દેવતા નથી ૧૦. હરિભદ્રસૂરિષ્કૃત સમ્યક્ત્વસપ્તતિઃ, સ`શે. મુનિશ્રી લલિતર્વિજય, ૧૯૧૬, દેવચંદ્ર પાલભાઈ પુસ્તકાષ્વાર કુંડ, મુંબઇ; તેમાંથી ઉદ્ધૃત કરીને – આરામસેાહાકા, સંપા. મુનિ યજ્ઞેયભદ્રવિજય, વિ.સ.૧૯૧૭, પ્રકા, સુરત વડા ચૌટા શ્રીસ ધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy