SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૭૯ જિન-સંસારી પ્રાણિઓ, સિદ્ધ સમોવડિ ગણિઈ રે, સહજભાવ આગલિ કરી, ભવ પર્યાય ન ગણિઈ રે. ૬૪. અર્થાત્ સંસારના ભવ પર્યાયની વિવક્ષા ન કરી માત્ર સહજ ભાવને જ પ્રધાનરૂપે ગણીએ તો બધા જ સંસારી જીવો સિદ્ધ સમાન છે. આવા ભાવને અકર્મોપાધિ શુદ્ધ દ્રવ્યાર્થિક નય નામ આપવામાં આવ્યું છે. વળી દેવસેન નયચક્રમાં બીજો ભેદ જણાવતાં કહે છે કે उत्पादव्ययगौणत्वेन सत्ताग्राहकः शुद्ध द्रव्यार्थिको, यथा द्रव्यं नित्यम् ॥ | ઉત્પાદ અને વ્યયને ગૌણ કરી સત્તા ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય-જેમ કે દ્રવ્ય નિત્ય છે. આ વાતને યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં સુંદર રીતે અવતરિત કરી છે. ઉત્પાદ વ્યય ગણતા, સત્તા મુખ્ય જ બીજઈ રે, ભેદ શુદ્ધ દ્રવ્યાર્થિ, દ્રવ્ય નિત્ય જિમ લીજઈ રે-૬૫ સ્તબકમાં દેવસેન કૃત પંક્તિનું જ ઉદ્ધરણ આપ્યું છે કે ઉત્પાદ્રિવ્ય ખત્વે સત્તા પ્રાહિ? શુદ્ધ દ્રવ્યfથ: દ્રવ્ય નિત્ય છે. માત્ર પર્યાયો પલટાય છે. દ્રવ્ય તો ત્રણેય કાળમાં અવિચલ રહે છે. પુદ્ગલાદિ દ્રવ્યની સત્તા કદાપિ ચલિત થતી નથી. આમ પૂર્વે જણાવેલ નયના પ્રત્યેક ભેદને સુંદર રીતે સહજ શૈલીમાં રજૂ કરવામાં આવેલ છે. આઠમી ઢાળમાં યશોવિજયજી જણાવે છે કે નય અને ઉપનયના ભેદ દેવસેને નયચક્રમાં જણાવેલ છે. પરંતુ તેમણે જણાવેલ પરંપરામાં દર્શાવેલ ભેદ સાથે શ્વેતામ્બરોનો કોઈ મોટો વિષય-ભેદ નથી. તેમ છતાં ઊલટી પરિભાષા દેખી ખેદ થાય છે. સ્તબકમાં આ જ વાતને દર્શાવતાં એક સુભાષિત પ્રયુક્ત કરેલ છે. यद्यपि न भवति हानिः परकीयां चरति रासभे द्राक्षाम् । असमञ्जसं तु दृष्ट्वा तथापि परिखिद्यते चेतः ॥ અર્થાત્ પરાઈ દ્રાક્ષ ખાતા ગધેડાથી કાંઈ વિશેષ હાનિ થતી નથી છતાં પણ અસંગત પરિસ્થિતિ જોવાથી મનને ખેદ તો થાય જ છે. તેવી રીતે અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001416
Book TitleJain Darshnma Nay
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherB J Institute
Publication Year2002
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Nyay
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy