SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત વિચાર વિચાર અને વર્તનને દેરી સંચાર કરે છે. બધા વિચાર અને વર્તનનું કાંઈક મૂળ છે-અવ્યક્ત મૂળ છે, જેને જીવનદષ્ટિ કહેવાય છે. જીવનદષ્ટિ એટલે સમગ્ર જીવન પ્રત્યેનો અભિગમ. અંગ્રેજીમાં તેને approach to life કહી શકાય. પ્રવાહપતિત જીવનના કેન્દ્રમાં એટલે શરીર”, “મારું સુખ એટલે મારા શરીરનું સુખ. આ રીતે તેઓની માન્યતા પ્રમાણે દેહમાં અને પરવસ્તુમાં સુખ સમાયેલું છે. તેઓને પુદગલને પુષ્કળ મહિમા હોય છે, અભિમાન, વિષયલેલુપતા, પરિગ્રહ અને ક્રોધાદિ ભાવો આવા સંસારીજીમાં સામાન્ય રીતે રહ્યા જ કરે છે અને તેમાં નિજપણાની માન્યતા હોય છે. જીવનના આવા અભિગમને દેહદષ્ટિ, પુગલદષ્ટિ અગર મિથ્યાદષ્ટિ કહેવાય છે. આવી વ્યક્તિઓ સંસારમાં આસક્ત હોય છે, તેઓને ભૌતિક જીવનનું આકર્ષણ હોય છે. તત્ત્વશ્રદ્ધાનની અભાવરૂપ માન્યતાઓ તેઓના મનના ઊંડાણમાં કાંઈક પડેલ છે, જે તેઓના વિચાર અને વર્તનનું પ્રેરક બળ હોય છે. તત્વને જાણવાની સ્વાભાવિક અંતરંગ ઇચ્છા તેઓમાં ઉત્પન્ન થયેલ જ નથી. આ જ વાતને હવે આપણે શાસ્ત્રીય દષ્ટિકોણથી જોઈએ. “મૂહ કનિમણી સૂતા તમે ગ્રસ્ત ચિરકાળ, જાગી તન-ભાર્યાદિમાં કરે “હું–મુજ-અધ્યાસ (સમાધિશતક-૫૬) મૂઢ સંસારી જીવ મિથ્યાત્વના ઉદયવશ અનાદિ કાળથી નિગોદાદિ મુનિમાં નિવાસ કરતો હતો, અર્થાત્ અચેતન માફક સઈ રહેતો હતો. કર્મોદયથી જીવ, મન સહિત સંજ્ઞાને જન્મ લે છે ત્યારે માનસિક સંકલ્પ-વિકલ્પ દ્વારા પ્રત્યક્ષ આત્માથી ભિન્ન શરીર તેમજ સ્ત્રી આદિ સંબંધીઓને પોતાના માની અનેક પ્રકારના પ્રપંચમાં રાચી રહે છે, કે જેથી તેને તવચિંતનનો અવકાશ જ રહેતો નથી. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001351
Book TitleSamkit Vichar
Original Sutra AuthorN/A
AuthorPanachand Bhaichand Mehta
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1993
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy