SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ આત્મજ્ઞાન અને સાધનાપથ ‘આર્તધ્યાન’ અને ‘રૌદ્રધ્યાન’ એ શાસ્ત્રીય પરિભાષાના શબ્દો છે. ‘આર્તધ્યાન’ શબ્દ ચિત્તની એ સ્થિતિ આવરી લે છે કે જેમાં વ્યક્તિનું ચિત્ત પોતાને ગમતી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિને મેળવવાની કે સાચવી રાખવાની સતત ઝંખનામાં અને તે માટેની યોજનામાં રત રહેતું હોય, કે પોતાને પ્રાપ્ત અનિષ્ટ વસ્તુ, વ્યક્તિ કે સંયોગોને દૂર કરવા કે દૂર રાખવાની ચિંતામાં મશગૂલ રહેતું હોય. જ્યારે, વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો પોતાને પ્રાપ્ત અનિષ્ટ સંયોગ દૂર કરવા કે ઇચ્છિત સંયોગ મેળવવા કે સાચવી રાખવા હિંસા, જૂઠ, ચોરી આદિનો આશરો લેવાની ગડમથલમાં રહેતું અર્થાત્ બીજાને નુકસાન પહોંચાડવાની ત્રેવડમાં ડૂબેલું ચિત્ત ‘રૌદ્રધ્યાન’ શબ્દથી સૂચિત છે. આ ઉપરથી એ સમજી શકાય તેમ છે કે આર્ટ-રૌદ્રધ્યાનનું મૂળ સ્વાર્થવૃત્તિમાં છે. સ્વાર્થવૃત્તિ મોળી પડયા વિના આર્ત-રૌદ્રની ચુંગાલમાંથી વ્યક્તિ છૂટી શકે નહિ. આર્ય-રૌદ્રધ્યાનનાં જાળાં સ્વાર્થવૃત્તિ અને વિષયભૂખના કેન્દ્રની આસપાસ જ જામે છે. જ્ઞાન જેમ જેમ પરિણમે-આત્મસાત્ થાય-તેમ તેમ સ્વાર્થવૃત્તિના સ્થાને પરાર્થવૃત્તિ વિકસે અને વિષયભૂખ મોળી પડતી જાય, તેથી આર્ત-રૌદ્રધ્યાનની પકડમાંથી વ્યક્તિ બહાર આવે અને ક્રમશ: તેના મનમાંની ઈર્ષ્યા-માત્સર્ય-દ્વેષની વૃત્તિઓ વિદાય લે; તિરસ્કાર, ઘૃણા આદિનું સ્થાન સહાનુભૂતિ, સમજ, ઔદાર્ય અને વાત્સલ્ય લે; ભય, ચિંતા, સંક્લેશ ટળી જાય; તેમ જ તત્ત્વચિંતનમાં અને સ્વગુણની વૃદ્ધિ અર્થે આત્મનિરીક્ષણ આદિમાં ઓતપ્રોત રહેવાથી અન્યની નરસી પ્રવૃત્તિ પ્રત્યે સહજપણે ઉદાસીનતા આવતી જાય, એટલું જ નહિ, પણ પોતાના મતથી તદ્દન વિરોધી જણાતી વિચારધારાને પણ તે સહી શકે એવી ક્ષમતાપરમતસહિષ્ણુતા-(tolerance)નો ગુણ સાધકમાં વિકસતો જાય છે. ૨. જ્ઞાનગભિત વૈરાગ્યનાં લક્ષણોમાંનું એક છે : चेष्टा परस्य वृत्तान्ते, मूकान्धबधिरोपमा । उत्साहः स्वगुणाभ्यासे, दुःस्थस्येव धनार्जने ॥ 3. અધ્યાત્મસાર, અધિકાર ૬, શ્લોક ૪૧. (i) માધ્યસ્થ્ય પવિ નાયાત, ન તા જ્ઞાનવર્મતા । – એજન, અધિકાર ૬, શ્લોક ૩૭. (ii) જુઓ, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજકૃત અધ્યાત્મોપનિષદ્, શાસ્રયોગશુદ્ધિ, શ્લોક ૬૮ અને ૭૦-૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy