SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ એકવાર દુર્ગતિમાં ગયા પછી ફરી માનવ બની આવી સામગ્રી મળવી હાથની વાત નથી. ‘થશે. શું ઉતાવળ છે ?’ ઈત્યાદિ વિકલ્પો કાયરને આવે, શૂરવીરને નહિ. ધર્મનો માર્ગ શૂરવીરનો છે. અત્યારે ૮ કર્મનો ઉદય અને ૭ કર્મનો બંધ ચાલુ છે. આયુષ્ય વખતે ૮ કર્મનો બંધ હોય છે. આમ કર્મના હુમલા ચાલુ હોય ને આપણે નિરાંતે ઘોરીએ તો તે કેમ ચાલે ? માત્ર બેઠા-બેઠા જીત મળી જશે ? ઊંઘતો સૈનિક જીતી જશે ? શિસ્તપાલક સાવધ સૈનિક વિજયમાળા વરી શકે તેમ સાવધ સાધક વિજયમાળા વરી શકે. અહીં પ્રમાદ ન ચાલે. * ભલે બધા આગમો – શાસ્ત્રો ન વાંચી શકીએ, પણ અમુક અસ્યભૂત શાસ્ત્રો તો ખાસ વાંચવા જોઈએ. પ્રભુદાસ બેચરદાસ કૃત આનંદધન – ચોવીશીના અર્થનું પુસ્તક જોજો. પૂરો નકશો બતાવ્યો છે કે આમાં માર્ગાનુસારીથી માંડીને ઠેઠ અયોગી ગુણસ્થાનક સુધીનો વિકાસક્રમ શી રીતે મૂકેલો છે. આવી આવી કૃતિ તો કંઠસ્થ હોવી જોઈએ. * બે પ્રકારની પરિજ્ઞા છે. ૧. જ્ઞપરિક્ષાઃ જાણવું... ગ્રહણશિક્ષા... ૨. પ્રત્યાખ્યાન પરિક્ષાઃ જીવવું... આસેવન શિક્ષા... * જે ગુણનો તમે વિનિયોગ નથી કરતા તે ગુણ ભવાંતરમાં સાથે નહિ ચાલે. જે બીજાને આપો છો તે જ તમારું છે. * ૧. પ્રવજ્યા (ઓઘો આપવો.) ૨. મુંડન. ૩. શિક્ષા. ૪. ઉપસ્થાપના. ૫. સહ ભોજન. ૪૨૮ Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy