SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાની ખુશામત ઘણી કરી, હવે આ જીભથી પ્રભુના ગુણ ગાવા છે. જગતના સ્પર્શે ઘણા ક્ય, હવે આપણે પ્રભુ-ચરણનો, ગુરુ-ચરણનો (“અહો કાયંકાય' એ ગુરુ-ચરણની સ્પર્શના જ છે. ગુરુને તકલીફ ન પડે માટે ઓવામાં ચરણોની સ્થાપના કરવાની છે.) સ્પર્શ કરવાનો છે. આગળ વધીને આત્માના શુદ્ધ સ્વભાવનો સ્પર્શ કરવાનો છે. સિદ્ધોના શુદ્ધ સ્વરૂપનો સ્પર્શ કરવાનો છે. * સિદ્ધો માનેઃ જગતના જીવોએ અમને અહીં પહોંચાડ્યા નહિ તો અમે અહીં ક્યાંથી? દાની માનેઃ લેનારને મળ્યા હોત તો અમે શું કરત? ગુરુમાને શિષ્યો ન હોત તો હું કોને ભણાવત? કોને બોધ આપત? શિષ્ય માનેઃ ગુરુએ મને સેવાનો ક્વો ઉત્તમ લાભ આપ્યો? - આવી વિચારણાથી ક્યાંય કોઈને અભિમાન ન આવે. સો સોનો દૃષ્ટિકોણ અલગઅલગ હોય. બીજાનો દૃષ્ટિકોણ આપણે સ્વીકારીએ છીએ ત્યારે આપણે દોષભાગી બનીએ છીએ. * શક્તિ હોવા છતાં પચ્ચખાણ ન કરીએ તો આપણું અણાહારી પદ વિલંબમાં મૂકાશે. ઘણીવાર શક્તિ હોવા છતાં આપણે થોડાકથી ચૂકી જઈએ છીએ. ગૃહસ્થપણામાં મેં ૧૬ ઉપવાસ કરેલા. બહુ જરૂર્તિ- ઉલ્લાસ હતો. માસક્ષમણ આરામથી થઈ જાત. પણ તક ગઈ. માસક્ષમણ પછી ન થઈ શક્યું. શક્તિ હોવા છતાં તપ ન કરીએ તો આપણે ગુનેગાર છીએ. * “બહુવેલ સંહિસાતું ના આદેશ શા માટે ? બહુવેલ સંદિસાડું ના આદેશમાં ગુરુ-સમર્પણ છુપાયેલું છે. કોઇપણ કાર્ય ગુરુને પૂછ્યા વિના ન જ કરી શકાય. પણ શ્વાસ વગેરેની પ્રવૃત્તિ માટે વારંવાર ક્યાં પૂછવું? આવી પ્રવૃત્તિની રજા “બહુવેલ સંદિસાહુના આદેશથી મળી જાય છે. જો કે આમાં વાસ લેવા જેવી બાબતોની જ આપણે રજા નથી લેતા, બીજા મોટા કામોની પણ રજા લઈ લઈએ છીએ !! પૂછવા જેવા મોટા કામોમાં જેટલું ન પૂછીએ તેટલું ગુરુ-સમર્પણ ઓછું સમજવું. કહે કલાપૂર્ણસૂરિ ...... ૪૦૫ Jain Education International For Private Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy