SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતનું જીવન વાંચતાં કેટલું સસ્તું લાગે? કેવળજ્ઞાનને આટલું સરળ રીતે આપી દેનાર વૈયાવચ્ચ છે, એ ભૂલતા નહિ. ચક્રવર્તી આદિ ભૌતિક ફળ તો આનુષંગિક છે, વૈયાવચ્ચનું મુખ્ય ફળ કેવળજ્ઞાન છે, મોક્ષ છે. માટે જ અનુકંપા નિષિદ્ધ નથી, તેમ વેયાવચ્ચ પણ નિષિદ્ધ નથી. મુક્તિના બે માર્ગ છે: ૧) અનુકંપાઃ શાન્તિનાથનો પૂર્વભવ – મેઘરથ ૨) વૈયાવચ્ચનો – બહુ - સુબાહુ (ભરત – બાહુબલી) અનુકંપાદિના પ્રયત્ન વગરનો સામાન્ય માર્ગ પહેલો માર્ગ તીર્થંકરાદિ ઉત્તમ જીવોનો છે. બીજો માર્ગ સામાન્ય સાધુઓનો છે. પૂ. દેવચન્દ્રજી કૃત અધ્યાત્મ ગીતા “પ્રણમીએ વિશ્વહિત જૈનવાણી, માનંદ તરુ સિંચવા અમૃતપાણી; મહામોહ પુર ભેદવા વજપાણી, ગહન ભવ ફંદ છેદન કૃપાણી..” (૧.) તીર્થકરને નમન કરવાથી તો મંગળ થાય જ. તીર્થંકરની વાણીને નમન કરવાથી પણ મંગળ થાય. ભગવતીમાં ‘નમો સુમ’ ‘નમો વંપત્તિવણ' કહીને મંગળ છે. આ પ્રણાલિકા આજે પણ સચવાયેલી છે. આગમને આપણે સૌ નમીએ છીએ. જિનવાણીને નમન પરમ મંગળ છે. જિનવાણી સમગ્ર વિશવને હિતકર છે. એક શબ્દ જિનવાણીમાંથી એવો શોધી બતાવો, જેનાથી કોઈનું અહિત થતું હોય. ચારે – ચાર માતાઓ (વર્ણમાતા, નવકારમાતા, અષ્ટ પ્રવચનમાતા અને ધ્યાનમાતા) જિનવાણીને લગતી જ છે. ચારેય માતાઓની માતા આ જિનવાણી જ સામાયિકથી બિન્દુસાર (૧૪મું પૂર્વ) સુધી જિનવાણી વિસ્તૃત છે. માતા એને જ કહેવાય જે બાળકનું અહિત નિવારે, એકાન્ત હિત જ કરે. આ માતા શાશ્વત સુખ આપી પરમહિત કરે છે. ૪૦૨ ••• ..... કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy