SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ બહારથી આપણી ભલે પુષ્કળ પ્રશંસા થતી હોય, પણ એ કાંઈ આપણી સાધનાનું સર્ટિફિકેટ નથી. લોકોના કહેવાથી આપણે શ્રેષ્ઠ બની શકતા નથી. અત્યારે આપણે જાણીએ છીએ ખરા, પણ બીજાને જણાવવા માટે. જ્યાં સુધી એ જ્ઞાન આપણી સાધનામાં ન લગાડીએ ત્યાં સુધી આત્મકલ્યાણ નહિ થાય. પ્રીતિ, ભક્તિ, વચન, અસંગ-આચાર યોગોમાં સ્થિર, મજબૂતરહીએતો ક્યાંય ભૂલા ન પડીએ. જિનેશ્વર વિહિત એવું કોઈ અનુષ્ઠાનનથી, જેમાં આત્મશુદ્ધિનહોય નુકશાનીનો અંશ નહિને નફાનો પાર નહિ. ૪ નગર-પ્રવેશ વખતે પગ પૂંજવા ખરા, પણ લોકો કંઈક આડી – અવળી શંકા કરે તેમ હોય તો ન પણ પૂજવા. * પેશાબનો વેગકદી રોકવો નહિ રોકવાથી આંખને નુકશાન થાય. * અત્યારે આપણા માટે શાસ્ત્ર એ જ તીર્થકર છે. શાસ્ત્રનું બહુમાન તે ભગવાનનું બહુમાન છે. शास्त्रे पुरस्कृते तस्माद्, वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्माद्र, नियमात् सर्वसिद्धयः ।। શાસ્ત્ર આગળ ધર્યા, તેણે ભગવાનને આગળ ધર્યા, ભગવાનને આગળ ધર્યા, તેને સર્વસિદ્ધિ મળે જ. * અર્થ પુરુષાર્થદાન ધર્મ સાથે કામ પુરુષાર્થશીલધર્મ સાથે ઘર્મ પુરુષાર્થ તપ ધર્મ સાથે મોક્ષ પુરુષાર્થ ભાવધર્મ સાથે સંબંધિત છે. * ડગલે ને પગલે શરીરમાંથી અશુચિ નીકળે છે. શરીરની શુદ્ધિ પાણીથી થઈ શકે. આત્મા પણ ડગલે ને પગલે ગમે તેટલી કાળજી રાખવા છતાં અશુદ્ધિથી ખરડાતો રહે છે. માટે જ ઈરિયાવહિયં દરેક અનુષ્ઠાન પૂર્વે જરૂરી છે. પૂર્ણાનંદસૂરિ (વલ્લભસૂરિના) રોજ ૧૦૮ વાર ઈરિયાવહિયં જપતા. મોહનું કામ મલિન બનાવવાનું ભગવાનનું કામ નિર્મળ બનાવવાનું છે. ઈરિયાવહિય આપણું ભાવ સ્નાન છે. ભગવાનની ભક્તિ આપણું ભાવસ્નાન છે. ઈરિયાવહિયં જીવમેત્રી. નવકાર - જિનભક્તિનું સૂત્ર છે. કહે કલાપૂર્ણસૂરિ ....... •.. ૨૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy