SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર ૩૩૯ પૂર્ણતઃ ત્યાગી હોય છે. શ્રાવક, ઉપાસક, દેશવિરત, સાગાર, શ્રાદ્ધ, દેશસંયત આદિ શબ્દો એક જ અર્થના વાચક છે. શ્રાવકનાં વ્રતો અણુવ્રત અર્થાત્ નાનાં વ્રતો કહેવાય છે કેમ કે તે હિંસા વગેરેનો અંશતઃ ત્યાગ કરે છે. સર્વવિરતિ અર્થાતુ સર્વત્યાગરૂપ મહાવ્રતો પાંચ છે – (૧) સર્વપ્રાણાતિપાતવિરમણ, (૨) સર્વમબાવાદવિરમણ, (૩) સર્વઅદત્તાદાનવિરમણ, (૪) સર્વમૈથુનવિરમણ અને (૫) સર્વપરિગ્રહવિરમણ. પ્રાણાતિપાતનું અર્થાત્ હિંસાનું સર્વતઃ વિરમણ એટલે કે પૂર્ણતઃ ત્યાગ અથવા સર્વ પ્રાણાતિપાત અર્થાત્ સપૂર્ણ હિંસાનું વિરમણ એટલે કે ત્યાગ સર્વપ્રાણાતિપાતવિરમણ કહેવાય છે. એ જ રીતે મૃષાવાદ અર્થાત્ અસત્યવચન, અદત્તાદાન અર્થાત્ ચોરી, મૈથુન અર્થાત કામભોગ અને પરિગ્રહ અર્થાત સંગ્રહ અથવા આસક્તિનો પૂર્ણતઃ ત્યાગ સર્વમૃષાવાદવિરમણ, સર્વઅદત્તાદાનવિરમણ, સર્વમૈથુનવિરમણ અને સર્વપરિગ્રહવિરમણ કહેવાય છે. આ જાતના ત્યાગને નવકોટિપ્રત્યાખ્યાન કહેવામાં આવે છે કેમ કે તેમાં હિંસા આદિને કરવા, કરાવવા અને અનુમોદવા રૂપ ત્રણ કરણોનો મન, વચન અને કાયારૂપ ત્રણ યોગોથી પ્રતિષેધ કરવામાં આવે છે અર્થાત્ હિંસા આદિનું મનથી કરવું, કરાવવું અને અનુમોદવું, વચનથી કરવું, કરાવવું અને અનુમોદવું, તથા કાયથી કરવું, કરાવવું અને અનુમોદવું–આ રીતે નવ મંગપૂર્વક પ્રત્યાખ્યાન કરવામાં આવે છે અર્થાત્ ત્યાગ કરવામાં આવે છે. પંચમહાવ્રત જૈન ધર્મમાં છ જવનિકાય માનવામાં આવ્યા છે–પૃથ્વીકાય, અપ્લાય, સ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. આ જીવનિકાયોની હિંસાનુંનવકોટિપ્રત્યાખ્યાન સર્વપ્રાણાતિપાતવિરમણ કહેવાય છે. પૃથ્વીકાય અર્થાત્ સજીવ પૃથ્વી, અપ્લાય અર્થાત્ સજીવ જલ, તેજસ્કાય અર્થાતુ સજીવ અગ્નિ, વાયુકાય અર્થાત્ સજીવ વાયુ, વનસ્પતિકાય અર્થાત્ હરિત અને ત્રસકાય અર્થાત્ દ્વીન્દ્રિય આદિ પ્રાણી. મહાવ્રતધારી શ્રમણનું કર્તવ્ય છે કે તે દિવસે કે રાતે એકલો કે સમૂહમાં, સૂતાં કે જાગતાં ભૂમિ, ભીંત, શિલા, પથ્થર, ધૂલિયુક્ત શરીર, વસ્ત્ર આદિને હાથ, પગ,કાષ્ઠ, આંગળી, શલાકા આદિથી ન ઝાપટે, ન લૂછે, ન આમતેમ હલાવે, ન છેદે, ન ભેદે પરંતુ વસ્ત્રાદિ મૃદુ સાધનોથી હળવેકથી સાવધાનીપૂર્વક ઝાપટે લૂછે. ઉદક, ઝાકળ, હિમ, આદ્ર શરીર અથવા આદ્ર વસ્ત્રને તે ન અડકે, ન સૂકવે, ન નિચોવે, ન ઝાટકે, ન અગ્નિ પાસે મૂકે. પોતાના ભીના શરીર આદિને સાવધાનીપૂર્વક તે સૂકવે કે સુકાવા દે. અગ્નિ, અંગાર, ચિનગારી, વાલા અથવા ઉલ્કાને તે ન સળગાવે, ન ઓલવે, ન હલાવે, ન પાણીથી શાન્ત કરે, ન વિખેરે. તે પંખા, પત્ર, શાખા, વસ્ત્ર, હસ્ત, મુખ આદિથી હવા ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy