SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાન્ત ૩૩૩ નષ્ટ કરી શકાય છે. આ ગુણસ્થાનમાં સાધકને અપૂર્વ આત્મપરિણામરૂપ શુદ્ધિ અર્થાત્ પહેલાં ક્યારેય પ્રાપ્ત ન થઈ હોય એવી વિશિષ્ટ આત્મગુણશુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ અવસ્થામાં રહેલો સાધક અપૂર્વ આધ્યાત્મિક કરણ અર્થાત્ પહેલાં પ્રાપ્ત ન થયેલા આત્મગુણરૂપ સાધનને પ્રાપ્ત કરે છે અથવા તેના કરણની અર્થાત્ ચારિત્રરૂપ ક્રિયાની અપૂર્વતા હોય છે, તેથી આ અવસ્થાનું નામ અપૂર્વકરણ ગુણસ્થાન છે. તેનું બીજું નામ નિવૃત્તિ ગુણસ્થાન પણ છે કેમ કે એમાં ભાવોની અર્થાત્ અધ્યવસાયોની વિષયાભિમુખતા · પુનઃ વિષયો ભણી પાછા ફરવાની ક્રિયા વિદ્યમાન હોય છે. - (૯) સ્થૂલ કષાય દૃષ્ટ, શ્રુત અથવા ભુક્ત વિષયોની આકાંક્ષાનો અભાવ હોવાના કા૨ણે નવમા ગુણસ્થાનમાં અધ્યવસાયો વિષયાભિમુખ નથી હોતા અર્થાત્ ભાવો પુનઃ વિષયો ભણી પાછા ફરતા નથી. આમ ભાવોની - અધ્યવસાયોની અનિવૃત્તિના કારણે આ અવસ્થાનું નામ અનિવૃત્તિ ગુણસ્થાન રાખવામાં આવ્યું છે. આ ગુણસ્થાનમાં આત્મા બાદર અર્થાત્ સ્થૂળ કષાયોના ઉપશમન અથવા ક્ષયમાં તત્પર રહે છે એટલે તેને અનિવૃત્તિબાદર ગુણસ્થાન, અનિવૃત્તિબાદરસમ્પરાય(કષાય) ગુણસ્થાન અથવા બાદરસમ્પરાય ગુણસ્થાન કહેવામાં આવે છે. (૧૦) સૂક્ષ્મ કષાય — - દસમું ગુણસ્થાન સૂક્ષ્મસમ્પરાયના નામે પ્રસિદ્ધ છે. તેમાં સૂક્ષ્મ લોભરૂપ કષાયનો ઉદય હોય છે. બીજા કષાયોનો ઉપશમ કે ક્ષય થઈ ગયો હોય છે. (૧૧) ઉપશાન્તકષાય જે સાધક ક્રોધ આદિ કષાયોનો નાશ નહિ પણ ઉપશમ કરતો જ આગળ વધે છે – વિકાસ કરે છે તે ક્રમશઃ ચારિત્રશુદ્ધિ કરતો અગિયારમા ગુણસ્થાને પહોંચે છે. આ ગુણસ્થાનમાં સાધકના સઘળા કષાયો ઉપશાન્ત થઈ જાય છે —દબાઈ જાય છે. તેથી તેનું ઉપશાન્તકષાય ગુણસ્થાન અથવા ઉપશાન્તમોહ ગુણસ્થાન નામ સાર્થક છે. આ ગુણસ્થાનમાં રહેલો આત્મા મોહને એક વાર સર્વથા દબાવી તો દે છે પરંતુ નિર્મૂલ નાશ ન થયો હોવાથી દબાયેલો મોહ રાખની નીચે ઢંકાયેલા-દબાયેલા અગ્નિની જેમ વખત આવ્યે પુનઃ પોતાનો પ્રભાવ દેખાડવા લાગે છે. પરિણામે આત્માનું પતન થાય છે. આત્મા આ અવસ્થામાંથી એક વાર તો અવશ્ય પતન પામે છે - આ ભૂમિકાએથી ચ્યુત થઈ નીચેની કોઈ ભૂમિકા ઉપર આવીને અટકે છે. એટલે સુધી કે આ ગુણસ્થાનેથી પતન પામનારો આત્મા કોઈ કોઈ વાર તો સૌથી નીચી ભૂમિકા અર્થાત્ મિથ્યાત્વગુણસ્થાન સુધી પહોંચી જાય છે. આવો આત્મા પુનઃ પોતાના પ્રયાસ દ્વારા કષાયોને ઉપશાન્ત યા નષ્ટ કરતો પ્રગતિ કરી શકે છે. (૧૨) ક્ષીણકષાય કષાયોનો ક્ષય કરી આગળ વધનારો સાધક દસમા Jain Education International ― For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy