SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાન્ત ૩૦૯ કર્મવાદની પરિભાષામાં પ્રદેશ બન્ધ કહેવાય છે. આ જ પરમાણુઓની જ્ઞાનાવરણ (જ કર્મોથી આત્માની જ્ઞાનશક્તિ આવૃત થાય છે) આદિ અનેક રૂપોમાં પરિણતિ થવી પ્રકૃતિબન્ધ કહેવાય છે. પ્રદેશ બન્ધમાં કર્મપરમાણુઓનું પરિમાણ અભિપ્રેત છે જ્યારે પ્રકૃતિબન્ધમાં કર્મપરમાણુઓની પ્રકૃતિ અર્થાત્ સ્વભાવનો વિચાર કરવામાં આવે છે. ભિન્ન ભિન્ન સ્વભાવવાળા કર્મોની ભિન્ન ભિન્ન પરમાણુસંખ્યા હોય છે. બીજા શબ્દોમાં, વિભિન્ન કર્મપ્રકૃતિઓનાં વિભિન્ન કર્મપ્રદેશો હોય છે. જૈન કર્મશાસ્ત્રમાં આ પ્રશ્ન ઉપર પર્યાપ્ત પ્રકાશ નાખવામાં આવ્યો છે અને જણાવાયું છે કે કઈ કર્મપ્રકૃતિના કેટલા પ્રદેશો હોય છે અને તેમનો તુલનાત્મક ક્રમ કેવો છે. કર્મરૂપે ગૃહીત પુદ્ગલપરમાણુઓનાં કર્મફળોના કાળનો અને તે કર્મફળોની તીવ્રતામંદતાનો નિશ્ચય આત્માના અધ્યવસાય અર્થાત્ કષાયની તીવ્રતામંદતા અનુસાર થાય છે. કર્મવિપાકના કાલના તેમ જ તીવ્રતામંદતાના આ નિશ્ચયને ક્રમશઃ સ્થિતિબન્ધ અને અનુભાગબન્ધ કહે છે. કષાયના અભાવમાં કર્મપરમાણુ આત્મા સાથે બદ્ધ નથી રહી શકતા. જેમ સૂકા વસ્ત્ર પર રજ બરાબર ચોટતી નથી પરંતુ વસ્ત્રને સ્પર્શી તરત ખરી પડે છે તેવી રીતે આત્મામાં કષાયની આદ્રતા ન હોતાં કર્મપરમાણુ તેની સાથે બદ્ધ થતા નથી પરંતુ કેવળ આત્માને સ્પર્શી અલગ થઈ જાય છે.ઈર્યાપથ (ચાલવું, ફરવું આદિ) દ્વારા થનારો આ જાતનો નિર્બળ કર્મબન્ધ અસાંપરાયિક બન્ધ કહેવાય છે. સકષાય કર્મબન્ધને સાંપરાયિક બન્ધ કહે છે. અસાંપરાયિક બન્ધ ભવભ્રમણનું કારણ નથી બનતો. સાંપરાયિક બન્યથી જ જીવને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. કર્મનો ઉદય અને ક્ષય કર્મ બંધાતાં જ પોતાનું ફળ દેવાનું શરૂ નથી કરતું. કેટલોક વખત સુધી એમ ને એમ પડ્યું રહે છે. કર્મના આ ફલહીન કાલને જૈન પરિભાષામાં અબાધાકાલ કહે છે. અબાધાકાલ પૂરો થતાં જ બદ્ધકર્મ પોતાનું ફળ દેવાનું શરૂ કરી દે છે. કર્મફલનો પ્રારંભ જ કર્મનો ઉદય કહેવાય છે. કર્મ પોતાના સ્થિતિબન્ધ મુજબ ઉદયમાં આવે છે અને ફળ આપીને આત્માથી અલગ થઈ જાય છે. આનું નામ નિર્જરા છે. જે કર્મની જેટલી સ્થિતિનો બન્ધ હોય છે તે કર્મ તેટલી જ અવધિ સુધી ક્રમશઃ ઉદયમાં આવે છે. બીજા શબ્દોમાં, કર્મનિર્જરાનો પણ તેટલો જ કાળ હોય છે જેટલો કર્મસ્થિતિનો હોય છે. જયારે નવાં કર્મોનું ઉપાર્જન રોકાઈ જાય છે (સંવર) તથા પૂર્વોપાર્જિત બધાં કર્મ ક્ષય પામી જાય છે (નિર્જરા) ત્યારે જીવ કર્મમુક્ત બની જાય છે. આત્માની આ અવસ્થાને મુક્તિ (મોક્ષ) કહે છે. કર્મપ્રકૃતિ અર્થાત્ કર્મફળ જૈન કર્મશાસ્ત્રમાં કર્મની આઠ મૂળ પ્રકૃતિઓ માનવામાં આવી છે. આ પ્રવૃતિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy