SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાન્ત ૨૮૩ છે. જગતની દરેક ઘટના પહેલેથી જ નિયત અર્થાત નિશ્ચિત હોય છે. કોઈના ઇચ્છા સ્વાતન્યનું કોઈ મૂલ્ય નથી. વસ્તુતઃ ઈચ્છાસ્વાતત્ય જેવી કોઈ ચીજ છે જ નહિ. મનુષ્ય કેવળ પોતાના અજ્ઞાનના કારણે એવું માને છે કે હું ભવિષ્યને બદલી શકું છું. જે કંઈ થવાનું છે તે થવાનું જ છે. અનાગત અર્થાત્ ભવિષ્ય પણ તેવી જ રીતે સુનિશ્ચિત અને અપરિવર્તનીય છે જેવી રીતે અતીત અર્થાતુ ભૂત. તેથી જ આશા, ભય, ચિન્તા આદિ નિરર્થક છે અને કોઈની પ્રશંસા કરવી કે કોઈને દોષ દેવો એ પણ વ્યર્થ છે. બૌદ્ધ આગમ દીઘનિકાયના સામગ્નફલસુત્તમાં નિયતિવાદનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે જીવોની અપવિત્રતાનું કોઈ કારણ નથી. તેઓ કારણ વિના જ અપવિત્ર થાય છે. તેવી જ રીતે તેમની પવિત્રતાનું પણ કોઈ કારણ નથી. તેઓ કારણ વિના જ પવિત્ર થાય છે. પોતાના સામર્થ્યના બળે કંઈ પણ થતું નથી. પુરુષના સામર્થ્યના કારણે કોઈ પદાર્થની સત્તા છે એવું નથી. ન તો બળ છે, ન વીર્ય છે, ન શક્તિ છે કે ન પરાક્રમ છે. બધાં સત્ત્વો, બધાં પ્રાણીઓ, બધા જીવો અવશ છે, દુર્બલ છે, વીર્યહીન છે. તેમનામાં નિયતિ, જાતિ, વૈશિસ્ય અને સ્વભાવના કારણે પરિવર્તન થાય છે. તેઓ છ જાતિઓમાંથી કોઈ એક જાતિમાં રહીને બધાં દુઃખો ભોગવે છે. ચોરાસી લાખ મહાકલ્પોના ચક્રમાં ભ્રમણ કર્યા પછી બુદ્ધિમાન અને મૂર્ખ બન્નેના દુઃખનો નાશ થઈ જાય છે. જો કોઈ કહે છે કે હું શીલ, વ્રત, તપ અથવા બ્રહ્મચર્ય દ્વારા અપરિપક્વ કર્મોને પરિપક્વ કરીશ કે પરિપક્વ કર્મોને ભોગવીને નામશેષ કરી નાખીશ તો એવું કદી નહિ થઈ શકે. સૂત્રકૃતાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર), ઉપાસકદશાંગ આદિ જૈન આગમોમાં પણ નિયતિવાદનું આવું જ વર્ણન છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં નિયતિવાદનું સ્વરૂપ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે જે વસ્તુને જે વખતે જે કારણથી જે રૂપમાં ઉત્પન્ન થવાનું હોય છે તે વસ્તુ તે વખતે તે કારણથી તે રૂપમાં નિશ્ચિત ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં નિયતિના સિદ્ધાન્તનું ખંડન કોણ કરી શકે? જગતની બધી વસ્તુઓ નિયતરૂપવાળી હોય છે એટલે નિયતિને જ તેમનું કારણ માનવી જોઈએ. નિયતિ વિના કોઈ પણ કાર્ય થતું નથી, ભલે ને કાલ વગેરે બધાં કારણો ઉપસ્થિત કેમ ન હોય. યદેચ્છાવાદ – યદચ્છાવાદના મતે કોઈ કારણવિશેષ વિના જ કાર્યવિશેષની ઉત્પત્તિ થઈ જાય છે. કોઈ ઘટના કે કાર્યવિશેષની ઉત્પત્તિ માટે કોઈ નિમિત્ત અથવા ૧. સૂત્રકૃતાંગ, હૃ.૨, અ.૧,૬; ભગવતીસૂત્ર, શ.૧૫; ઉપાસકદશાંગ, અ.૬-૭. ૨. શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ૧૭૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy