SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ સાપેક્ષવાદ ૨૬૭ - નથી. પ્રયોજન ન હોવાના કારણે તે તે ધર્મોનું ન તો વિધાન કરે છે કે ન તો તે તેમનો નિષેધ કરે છે. સકલાદેશ અને વિકલાદેશ બન્નેની દૃષ્ટિમાં સાકલ્ય અને વૈકલ્યનું અન્તર છે. સકલાદેશની વિવક્ષા બધા ધર્મોની છે, જ્યારે વિકલાદેશની વિવક્ષા વિકલ એક ધર્મની છે જો કે બન્ને એ જાણે છે કે વસ્તુ અનેકધર્માત્મક છે — અનેકાન્તાત્મક છે તેમ છતાં બન્નેના કથનની મર્યાદા જુદી જુદી છે. એકનું કથન વસ્તુના બધા ધર્મોનું ગ્રહણ કરે છે જ્યારે બીજાનું કથન વસ્તુના એક ધર્મ સુધી જ સીમિત છે. અનેકાન્તાત્મક વસ્તુના કથનની બે જાતની મર્યાદાના કારણે સ્યાદ્વાદ અને નયનું ભિન્ન ભિન્ન નિરૂપણ છે. સ્યાદ્વાદ સકલાદેશ છે અને નય વિકલાદેશ છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દૃષ્ટિ ― વસ્તુના નિરૂપણની જેટલી પણ દૃષ્ટિઓ છે તે બધી જ બે મુખ્ય દૃષ્ટિઓમાં વિભાજિત કરી શકાય છે. તે બે દૃષ્ટિઓ છે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દ્રવ્યાર્થિક દૃષ્ટિમાં સામાન્યમૂલક યા અભેદમૂલક સમસ્ત દૃષ્ટિઓનો સમાવેશ થઈ જાય છે. વિશેષમૂલક યા ભેદમૂલક જેટલી પણ દૃષ્ટિઓ છે તે બધીનો સમાવેશ પર્યાયાર્થિક દૃષ્ટિમાં થઈ જાય છે. આચાર્ય સિદ્ધસેને આ બે દૃષ્ટિઓનું સમર્થન કરતાં કહ્યું કે ભગવાન મહાવીરના પ્રવચનમાં મૂલતઃ બે જ દૃષ્ટિઓ છે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. બાકીની બધી જ દૃષ્ટિઓ આ બેની જ શાખાપ્રશાખાઓ છે. મહાવીરનો આ બે દૃષ્ટિઓથી શો અભિપ્રાય છે એ તો આગમોને જોવાથી સ્પષ્ટ થઈ જાય છે. ભગવતીસૂત્રમાં ના૨ક જીવોની શાશ્વતતા અને અશાશ્વતતાનું પ્રતિપાદન કરતાં કહેવામાં આવ્યું છે કે અવ્યુચ્છિત્તિનયની અપેક્ષાએ ના૨ક જીવ શાશ્વત છે અને બુચ્છિત્તિનયની અપેક્ષાએ તે અશાશ્વત છે. અવ્યુચ્છિત્તિનય દ્રવ્યાર્થિક દૃષ્ટિનું જ બીજું નામ છે. દ્રવ્યદૃષ્ટિએ જોવાથી પ્રત્યેક પદાર્થ નિત્ય જણાય છે. તેથી દ્રવ્યાર્થિક દૃષ્ટિ અભેદગામી છે, સામાન્યમૂલક છે, અન્વયપૂર્વક છે. વ્યચ્છિત્તિનયનું બીજું નામ છે પર્યાયાર્થિક દૃષ્ટિ. પર્યાયદષ્ટિથી જોવાથી વસ્તુ અનિત્ય જણાય છે, અશાશ્વત પ્રતીત થાય છે . તેથી પર્યાયાર્થિક દૃષ્ટિ ભેદગામી છે, વિશેષમૂલક છે. આપણે કોઈ પણ દૃષ્ટિને લઈએ તો તે કાં તો ભેદમૂલક હશે કાં તો અભેદમૂલક, કાં તો વિશેષમૂલક હશે કાં તો સામાન્યમૂલક. આ બે પ્રકારોને છોડી તે બીજે ક્યાંય જ શકતી નથી. તેથી મૂલતઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બે જ દષ્ટિઓ છે અને આ બે ૧. સ્યાદ્વાર: સતાવેશો નયો વિત્તમંથા । લઘીયસ્ત્રય, ૩.૬.૬૨. ૩. સન્મતિતર્કપ્રકરણ, ૧.૩. ૩. ૭.૨,૨૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy