SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વવિચાર ૧૦૯ પ્રકૃતિના પરિવર્તનનું કારણ છે તો પણ સમસ્યાનું સમાધાન થતું નથી. પુરુષ હમેશાં પ્રકૃતિ સમ્મુખ રહે છે. જો તે હમેશાં એકરૂપ છે તો પ્રકૃતિ પણ એકરૂપ રહેશે. જો તેમાં પરિવર્તન થશે તો પ્રકૃતિમાં પણ પરિવર્તન થશે. એવું તો બની શકે નહિ કે પુરુષ તો સદેવ એકરૂપ રહે અને પ્રકૃતિમાં પરિવર્તન થતું રહે. જો પુરુષ પ્રકૃતિના પરિવર્તનનું કારણ હોય તો પુરુષમાં પણ પરિવર્તન થવું જોઈએ. પુરુષમાં પરિવર્તન થયા વિના પ્રકૃતિમાં પરિવર્તન થાય, એ તો ન સમજાય એવી વાત છે. જો પ્રકૃતિના પરિવર્તન માટે પુરુષમાં પરિવર્તન માનવામાં આવે તો પુરુષ કૂટસ્થનિત્ય ન રહે જ્યારે સાંખ્ય અનુસાર તો પુરુષ કૂટનિત્ય છે. આમ એક બલામાંથી બચવા જતાં બીજી બલા કોટે વળગે. સાંખ્ય દર્શન અનુસાર સુખ, દુઃખ આદિ જેટલી પણ માનસિક ક્રિયાઓ છે તે બધી પ્રકૃતિની દેણ છે. પુરુષનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે. આ પ્રતિબિંબના કારણે પુરુષ એમ સમજે છે કે સુખ, દુઃખ મારા ભાવ છે. આ માન્યતા પણ પુરુષપરિણામવાદ તરફ લઈ જાય છે. પુરુષ પોતાના મૂળ સ્વરૂપને ભૂલીને સુખ, દુઃખ વગેરેને પોતાનાં સમજવા લાગે છે, એનો અર્થ એ થયો કે તેના મૂલ રૂપમાં એક જાતનું પરિવર્તન આવી ગયું. પોતાના અસલ મૂળ રૂપને છોડ્યા વિના પુરુષ સુખ દુખ આદિને, જે ખરેખર તેના નથી તેમને, પોતાના સમજવા લાગે એવું તો ક્યારેય ન બની શકે. જેવો પુરુષ પોતાના મૂળ રૂપને ભૂલી અન્ય રૂપમાં આવી જાય છે તેવું જ તેના સ્વભાવમાં પરિવર્તન થઈ જાય છે. આ પરિવર્તન અપરિણામી પુરુષમાં કદાપિ સંભવે જ નહિ. તેથી પુરુષ પરિણામી છે. બીજી વાત એ કે સુખ, દુઃખ આદિ પરિણામ ચૈતન્યપૂર્વક છે. જડ પ્રકૃતિને આ પરિણામોનો અનુભવ થઈ શક્તો નથી. એટલે પુરુષને પરિણામી જ સ્વીકારવો જોઈએ. સાંખ્ય દર્શન પુરુષને કર્તા નથી માનતું. પુરુષ સાક્ષી માત્ર છે, એવી તેની શ્રદ્ધા છે. પુરુષપરિણામવાદની સિરિદ્ધની સાથે જ પુરુર૭૩નું કર્તુત્વ પણ સિદ્ધ થઈ જાય છે. સુખ, દુ:ખ આદિનો અનુભવ ક્રિયા વિના નથી થઈ શકતો. અથવા કહેવું જોઈએ કે સુખ, દુઃખ આદિ ક્રિયારૂપ જ છે. આમ હોવાથી પુરુષને અકર્તા અને નિષ્ક્રિય કહેવો બરાબર નથી. આત્મા “કર્તા છે” આ લક્ષણ આ વાતનું સમર્થન કરે છે. આત્મા સાક્ષાત્ ભોક્તા છે” આ વિશેષણ પણ સાંખ્યના મતના ખંડન માટે છે. સાંખ્ય ચિંતકો પુરુષમાં સાક્ષાત્ ભોસ્તૃત્વ નથી માનતા. તેઓ કહે છે કે બુદ્ધિનો જે ભોગ છે તેને પુરુષ પોતાનો માની લે છે. આમ પુરુષમાં સ્વતઃ ભોગક્રિયા નથી. જૈન १. तस्माच्च विपर्यासात् सिद्धं साक्षित्वमस्य पुरुषस्य । વૈવાં માધ્યä zકૃત્વમwતૃભાવ8 || સાંખ્યકારિકા, ૧૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy