SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ-દર્શન પ્રથમ હેતુ તરીકે પ્રત્યક્ષનો અભાવ દર્શાવાયો છે, તે યોગ્ય નથી. કેવળ ઇન્દ્રિયપ્રત્યક્ષને જ કોઈ તત્ત્વની સિદ્ધિમાં પ્રમાણ માનવું તર્કસંગત નથી. એમ માનતાં તો સુખ-દુઃખ આદિનો પણ અભાવ સિદ્ધ થઈ જશે કેમ કે સુખ-દુઃખ આદિ ઇન્દ્રિયપ્રત્યક્ષના વિષય નથી પરંતુ માનસ અનુભવના વિષય છે. આત્મા પ્રત્યક્ષથી સિદ્ધ છે કારણ કે સંશય આદિ જેટલી પણ માનસિક અને બૌદ્ધિક ક્રિયાઓ છે તે બધી આત્માના કારણે થાય છે. જ્યાં સંશય થાય છે ત્યાં આત્માના અસ્તિત્વનો અવશ્ય સ્વીકાર કરવો પડશે. જે પ્રત્યક્ષ અનુભવથી સિદ્ધ છે તેને સિદ્ધ કરવા માટે કોઈ અન્ય પ્રમાણની આવશ્યકતા નથી. આત્મા સ્વયં સિદ્ધ છે કારણ કે આત્માના આધાર પર સંશય વગેરે ઉત્પન્ન થાય છે. સુખ-દુઃખ આદિને સિદ્ધ કરવા માટે કોઈ અન્ય પ્રમાણની આવશ્યકતા નથી. તે બધાં આત્મપૂર્વક જ થઈ શકે છે. ૯૮ અહંપ્રત્યયનો આધાર કોઈક ને કોઈક અવશ્ય હોવો જોઈએ કેમ કે તેના વિના વૈકાલિક અહંપ્રત્યય થઈ શકતો નથી. જડ ભૂતોમાં તે શક્તિ નથી કે તેઓ અહંપ્રત્યયને ઉત્પન્ન કરી શકે કારણ કે અહંપ્રત્યયના અભાવમાં જડનું જ્ઞાન જ થઈ શકતું નથી. પહેલાં અહંપ્રત્યય થાય છે પછી ‘આ જડ છે' એવું જ્ઞાન થાય છે. આવી પરિસ્થિતિમાં જડથી અહંપ્રત્યય ઉત્પન્ન થાય છે એમ નહિ કહી શકાય. અહંપ્રત્યયના અભાવમાં જેડ તત્ત્વની સિદ્ધિ જ થઈ શકતી નથી, તો પછી એ કેવી રીતે બની શકે કે જડથી અહંપ્રત્યયની ઉત્પત્તિ થાય ? અહંપ્રત્યયપૂર્વક જ જડની પ્રતીતિ થાય છે, જડપ્રતીતિપૂર્વક અહંપ્રત્યય થતો નથી. જો આત્મા ન હોય તો અહંપ્રત્યય થાય જ કેવી રીતે ? આત્માના અભાવમાં એ સંદેહ જ કેવી રીતે થાય કે આત્મા છે કે નહિ ?૧ આ હેતુ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, સંશય, નિર્ણય આદિ જેટલી પણ મનોવૈજ્ઞાનિક ક્રિયાઓ છે તે કોઈ એક સ્થાયી ચેતન તત્ત્વના અભાવમાં થઈ શકે નહિ. તે બધી ક્રિયાઓ કોઈ એક ચેતન તત્ત્વને આધાર યા કેન્દ્ર બનાવીને જ ઘટાવી શકાય. જ્ઞાન, સંવેદના અને ઇચ્છા કોઈ એક આત્મતત્ત્વ વિના સંભવતાં નથી. તે ત્રણે અવસ્થાઓ વીખરાયેલી અવસ્થામાં ઉપલબ્ધ નથી થતી પરંતુ વ્યવસ્થિત રીતે એકબીજી સાથે સમ્બદ્ધ અને સાપેક્ષ રીતે ઉપલબ્ધ થાય છે. કોઈ એક અનુસૂત સામાન્ય તત્ત્વના અભાવમાં તેમનો પારસ્પરિક સંબંધ બની શકતો નથી. તેમની એકરૂપતા અને અન્વય કોઈ સામાન્ય આધાર વિના સંભવતાં નથી. શુદ્ધ ભૌતિક મસ્તિષ્ક આ જાતની એકરૂપતા, વ્યવસ્થા અને અન્વયનું કારણ ઘટી શકતું નથી. ૧. એજન, ૧૫૫૨ ૨. Cognition, Affection and Conation. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy