SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ અંગબાહ્ય આગમો દીધી. કૃત્રિમ વાદળો દ્વારા સુગંધિત જળનો છંટકાવ કર્યો, પુષ્પોની વર્ષા કરી અને અગર વગેરે સુગંધિત પદાર્થો પેટાવી તે સ્થાનને મહેકાવી દીધું (૧૯-૨૩). ત્યારપછી આભિયોગિક દેવો ભગવાનને નમસ્કાર કરી સૌધર્મ દેવલોકમાં પાછા ફર્યા અને તેમણે સૂર્યાભદેવને જાણ કરી. સૂર્યાભદેવે પોતાના સેનાપતિને બોલાવીને આજ્ઞા આપી–“હે દેવાનુપ્રિય! સુધર્માસભામાં લટકાવેલાં ઘંટને જોર જોરથી વગાડીને નીચે પ્રમાણેની ઘોષણા કરો-હે દેવો ! સૂર્યાભદેવ આમલકપ્પા નગરીની બહાર આમ્રશાલવન ચૈત્યમાં વિહાર કરી રહેલા શ્રમણ ભગવાન મહાવીરના વંદનાર્થે જવા માટે તૈયાર છે, તમે બધા પણ પોતાની સમસ્ત ઋદ્ધિ અને પરિવાર સાથે પોતપોતાના કાનોમાં સવાર બની જવા માટે તૈયાર થઈ જાવ.” તે સમયે પોતપોતાના વિમાનોમાં રહેતા દેવી-દેવતાઓ રતિક્રીડા અને ભોગવિલાસમાં લીન હતા. ઘંટનો અવાજ સાંભળી તેમને ખૂબ કુતૂહલ થયું અને તેઓ સૂર્યાભદેવ સાથે મહાવીરની વંદના માટે જવાની તૈયારી કરવા લાગ્યા. કોઈ વિચારવા લાગ્યું આપણે ભગવાન મહાવીરની વંદના કરીશું, કોઈ કહેવા લાગ્યું–આપણે પૂજા કરીશું, આપણે દર્શન કરીશું, આપણે પોતાનું કુતૂહલ શાંત કરીશું, આપણે અર્થનો નિર્ણય કરીશું, ન સાંભળેલી વાત સાંભળીશું, સાંભળેલી વાતનો નિશ્ચય કરીશું અને ભગવાન સમીપ જઈ અર્થ, હેતુ અને કારણો સમજીશું (૨૪-૨૭). દેવો અને દેવીઓને સમયસર ઉપસ્થિત થયેલાં જોઈ સૂર્યાભદેવ પ્રસન્ન થયો. આભિયોગિક દેવોને બોલાવી તેણે આદેશ આપ્યો-“હે દેવાનુપ્રિયો ! તમે તરત જ એક સુંદર વિમાન (યાન) તૈયાર કરો. તેમાં અનેક સ્તંભો ગોઠવો, હાવભાવ પ્રદર્શિત કરનારી શાલભંજિકાઓ (પૂતળીઓ) ગોઠવો, ઈહામૃગો, વૃષભો, અશ્વો, મનુષ્યો, મગરો, પક્ષીઓ, સર્પો, કિન્નરો, શરભો, ચમરી ગાયો, હાથીઓ, વનલતાઓ અને પાલતાઓ વડે તેને ચિત્રિત કરો, સ્તંભો પર વજની વેદિકા બનાવો, વિદ્યાધર-યુગલને પ્રદર્શિત કરતા યંત્રો બનાવો. હજારો રૂપકો વડે તેને શોભિત કરો અને તેમાં અનેક ઘંટડીઓ લગાવો” (૨૮). વિમાનરચના : સૂર્યાભદેવની આજ્ઞા માથે ચડાવી આભિયોગિક દેવોએ વિમાનની રચના કરવાનું શરૂ કર્યું. તેમણે વિમાનની ત્રણે બાજુ ત્રણ સોપાન બનાવ્યા. તેમાં નેમ (ઊમરો; ૧. શાલભંજિકાઓનાં વર્ણન માટે જુઓ-સૂત્ર ૧૦૧. શાલભંજિકા નામે તહેવાર શ્રાવસ્તીમાં ઉજવવામાં આવતો હતો (અવદાનશતક ૬, ૫૩, પૃ. ૩૦૨). ૨. આ બધા “મોટીફ' મથુરાની સ્થાપત્યકલામાં ચિત્રિત છે, તેમનો સમય ઈ.સ.ની પહેલી-બીજી શતાબ્દી માનવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy