SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પપાતિક પરથી ઊભો થયો, પાદપીઠથી નીચે ઉતર્યો અને પોતાની પાદુકાઓ ઉતારી. ત્યારપછી ખગ, છત્ર, મુકુટ, ઉપાનહ (જોડાં) અને ચામરનો ત્યાર કરી એકશાટિક ઉત્તરાસંગ કરી, પરમ પવિત્ર બની, હાથ જોડી તિર્થંકરની સામે સાત-આઠ પગલાં ચાલ્યો. પછી ડાબો ઘૂંટણ વાળી, જમણો જમીન પર રાખી, ત્રણ વાર મસ્તકથી જમીનને તેણે સ્પર્શ કર્યો. પછી સહેજ ઊંચે મસ્તક કરી કંકણ અને બાહુબંધોથી ભરેલી ભુજાઓને એકત્ર કરી, હાથ જોડી નમોલ્યુ અરિહંતાણં' વગેરે બોલી શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા અને પછી પોતાના આસન પર પૂર્વાભિમુખ બની બેસી ગયો. કૂણિકે શુભ સમાચાર આપનાર સમાચાર-નિવેદકને પ્રીતિદાન આપી તેનો આદર-સત્કાર કર્યો અને તેને આદેશ આપ્યો કે જ્યારે ભગવાન પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારે ત્યારે તે તરત જ નિવેદન કરે (૧૨). આગલા દિવસે મહાવીર પોતાના શિષ્ય-સમુદાય સાથે વિહાર કરતા કરતા ચંપા નગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં આવી પહોંચ્યા. તેમની સાથે ઉગ્ર, ભોગ, રાજન્ય, જ્ઞાત, કૌરવ વગેરે કુળોના અનેક ક્ષત્રિયો, સુભટો, યોદ્ધાઓ, સેનાપતિઓ, શ્રેષ્ઠીઓ અને ઈભ્યો (ધનવાનો) હાજર હતા, જેઓએ વિપુલ ધન-ધાન્ય અને હિરણ્ય-સુવર્ણનો ત્યાગ કરી મહાવીરના ચરણોમાં શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી. તે શિષ્યો મનોબળસંપન્ન હતા તથા શાપ દેવા માટે કે અનુગ્રહ કરવા માટે સમર્થ હતા. તેમનાં નિષ્ઠીવન (ઘૂંક), મળ, મૂત્ર તથા હસ્તાદિ-સ્પર્શ રોગીને સ્વસ્થ કરવા માટે ઔષધિનું કામ કરતાં. અનેક શ્રમણો મેધાવી, પ્રતિભાસંપન્ન તથા કુશળ વક્તા અને આકાશગામિની વિદ્યામાં નિષ્ણાત હતા. તેઓ કનકાવલિ, એકાવલિ, શુદ્ર સિંહનિષ્ક્રીડિત, મહાસિનિષ્ક્રીડિત, ભદ્રપ્રતિમા, મહાભદ્રપ્રતિમા, સર્વતોભદ્રપ્રતિમા, આયંબિલવર્ધમાન, માસિકભિક્ષુપ્રતિમા, ક્ષુદ્રમોકપ્રતિમા, મહામોકપ્રતિમા, યવમધ્યચન્દ્રપ્રતિમા અને વજમધ્યચન્દ્રપ્રતિમા નામના તપોનું આચરણ કરતા હતા. વિદ્યા અને મંત્રમાં તેઓ કુશળ હતા, પરવાદીઓનું માન-મર્દન કરવામાં નિષ્ણાત હતા તથા નિથ-પ્રવચન અનુસાર વિહાર કરતા હતા. તેઓ દ્વાદશાંગ-વેત્તા, ગણિપિટક (જિનપ્રવચન)ના ધારક અને વિવિધ ભાષાઓના પંડિત હતા. તેઓ પાંચ સમિતિ અને ત્રણ ગુતિઓનું પાલન ૧. પ્રીતિદાનના કોષ્ટક માટે જુઓ–નાયાધમ્મકતાઓ ૧, પૃ. ૪૨, અ-૪૩. ૨. અભયદેવે ગાયનો અર્થ નાગવંશ કર્યો છે જે બરાબર નથી–ટુફ્તીવૃવંશવિશેષપૂતા: ના વી ના વંશપ્રસૂતા: (ઉવવાઇય, પૃ. ૫૭). ૩. સંભવ છે કે એકાવલી તપની પરંપરા નષ્ટ થવાને કારણે અભયદેવસૂરિએ તેનું વિવેચન કર્યું નથી–ાવની ૨ નાખ્યોતિતિ ન વિતા (એજન, પૃ. પ૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy