SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાંગો પ્રથમ પ્રકરણ ઓપપાતિક વૈદિક ગ્રંથોમાં પુરાણ, ન્યાય, મીમાંસા અને ધર્મશાસ્ત્રને ઉપાંગ કહેવામાં આવેલ છે. વેદોનાં પણ અંગો અને ઉપાંગો હોય છે; જેમ કે–શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત અને જ્યોતિષ–આ છ અંગો છે, તથા તેમના વ્યાખ્યાગ્રંથો ઉપાંગો છે." ઉપાંગો અને અંગોનો સંબંધ: બાર અંગોની માફક બાર ઉપાંગોનો ઉલ્લેખ પ્રાચીન આગમગ્રંથોમાં મળતો નથી. માત્ર નિરયાવલિયાના પ્રારંભમાં નિરયાવલિયા વગેરે પાંચ આગમોને ઉપાંગની સંજ્ઞા આપવામાં આવી છે. સમવાયાંગસૂત્રમાં બાર વસ્તુઓની ગણના કરતાં દ્વાદશ અંગોનું વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ ત્યાં દ્વાદશ ઉપાંગોનો નામોલ્લેખ સુદ્ધાં નથી. નંદિસૂત્રમાં પણ કાલિક અને ઉત્કાલિક રૂપમાં જ ઉપાંગોનો ઉલ્લેખ છે, દ્વાદશ ઉપાંગના રૂપમાં નહિ. એ પ્રશ્ન વિચારણીય છે કે દ્વાદશ ઉપાંગ સંબંધી ઉલ્લેખ ૧૨મી શતાબ્દી પહેલાના ગ્રંથોમાં મળતો નથી. અંગોની રચના ગણધરોએ કરી છે અને ઉપાંગોની સ્થવિરોએ, એટલા માટે અંગો અને ઉપાંગોનો કોઈ સંબંધવિશેષ સિદ્ધ થતો નથી. બંનેનો ક્રમિક ઉલ્લેખ પણ કોઈ પ્રાચીન ગ્રંથમાં મળતો નથી. પરંતુ પાછળના આચાર્યોએ અંગો અને ઉપાંગોનો સંબંધ જોડવાનો પ્રયત્ન કર્યો છે. ઉદાહરણ રૂપે શ્રીચંદ્રસૂરિ (વિક્રમની ૧૨મી શતાબ્દી)એ પોતાની સુહબોહામાયારી (અણુટ્ટાણવિહિ, પૃ. ૩૧ બ-૩૨ અ)માં વિવાદય ઉપાંગને આચારાંગનું, રાયપસેણદયને સૂયગડંગનું, જીવાભિગમને ઠાણાંગનું, પન્નવણાને १. चत्वारश्च वेदाः सामवेद-ऋग्वेद-यजुर्वेद--अथर्वणवेदलक्षणाः सांगोपांगाः; तत्रांगानि शिक्षा-कल्प__ व्याकरण-श्छन्दो-निरुक्त-ज्योतिष्कायनलक्षणानि षट्; उपांगानि तद्व्याख्यानरूपाणि तैः सह वर्तन्ते તિ સોપાં T:-અનુયોગદ્વારવૃત્તિ, હેમચન્દ્રસૂરિ, પૃ. ૩૬ અ. ૨. નિરયાવલિયા, પૃ. ૩-૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy