SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૫ અધ્યાત્મ પંથની યાત્રા અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયોગ દવા પડતા હોય તો તેને વેદીને પણ પરપરિચયથી શીધ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી. જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તો જીવને (હરિગીત) પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે; હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. છેદાવ વા ભેદાવ કો લઈ જાવ, નષ્ટ બનો ભલે; વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ મારો નથી ખરે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય છે, તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય, તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે.” આ પ્રમાણે જ્ઞાની-ગૃહસ્થને પણ નિવૃત્તિમાર્ગ ભણી કદમ ઉઠાવવાની શ્રીગુરુઓની આજ્ઞા છે. આમ કરતી વેળાએ ખાવાપીવામાં, બેસવા-ઊઠવામાં, હરવા-ફરવામાં કે રોગાદિની ઉત્પત્તિકાળમાં શરીરવિષયક જે કાંઈ સુખ-દુ:ખ કે અગવડ વેઠવાં પડે તે સર્વ સમભાવથી, સહનશીલતા સહિત અને સમજણપૂર્વક અવશ્યપણે સ્વીકારવાં પણ અન્ય દ્રવ્યોનો અપરિચય કરવામાં શારીરિક પ્રતિકૂળતા વગેરેથી ડરી જઈને ઢીલાપણું થવા દેવું નહીં એમ કહેવાનો શ્રીગુરુનો આશય છે. મોક્ષમાર્ગમાં જેમણે અત્યંત પ્રબળ પુરુષાર્થ કર્યો છે તેમને નિર્મમત્વ (નિર્મોહપણું) સિદ્ધ થયું હોવાથી દેહાતીત દશા વર્તતી હોય છે. આવા વિશિષ્ટ મહાજ્ઞાની સહજસમાધિના સ્વામી હોવાને લીધે તેમને સ્વાત્માનંદથી એવી તૃપ્તિ વર્તતી હોય છે કે જગતના આ પદાર્થો કે તે પદાર્થો જોવાની, જાણવાની, મેળવવાની કે ભોગવવાની ઈચ્છા તેમને ૧. ૨. શ્રી સમયસાર, ૨૦૮, ૨૦૯ (હિ. જે. શાહ કૃત ગુજરાતી પદ્યાનુવાદ). શ્રીમદ્ રાજચન્દ્ર વ. પત્રાંક-૫૭૦ (મહાત્મા ગાંધીજી પર શ્રીમદ્જીએ લખેલો પત્ર). ઉથાવાદ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy