SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ અધ્યાત્મ પંથની યાત્રા તેથી નિઃશંક્તા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારનાં દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે; આવી ઉપરોક્ત પ્રકારની સાધનાના બળે પ્રગટ થઈ ગયાં છે નિઃશક્તા અને નિર્ભયતા જેને, તેવા સાધકને મોક્ષપ્રાપ્તિમાં હવે બીજા ક્યા અંતરાયો રોકવાને સમર્થ છે? અંનતાનુબંધી આદિ કષાયના અભાવથી અને જ્ઞાની પુરુષોનાં વચનોની પારમાર્થિક શ્રદ્ધાથી ઉલ્લસિત થયું છે વીર્ય જેનું તેવો તે મહાન સાધક, સંયમની વિશિષ્ટ સાધનાની ભૂમિકા પર વિજય મેળવવા હવે નિઃસંગતાને અંગીકાર કરે છે.* “દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો. તેથી પ્રક્ષણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો અપૂર્વ અવસર.' આમ, આખા પત્રનો ઉપસંહાર કરતાં શ્રીગુરુએ સાધકનો જે વિકાસક્રમ ઉપદેશ્યો છે તે દર્શાવતાં ચાર્ટ માટે જુઓ પાના નં. ૨ મહાજ્ઞાની પુરુષોનો ઉપદેશ મુમુક્ષુઓને બોધિ-સમાધિની પ્રાપ્તિ થાય તે અર્થે જ હોય છે; તેથી દેશકાળને લક્ષમાં રાખીને આ પત્રમાં જે બોધ સંક્ષેપથી અવતરિત કર્યો છે, તે તમે સૌ પરસ્પર આત્મકલ્યાણ અર્થે વિચારશો. આ કળિયુગની અંદર સરખી વિચારસરણી ધરાવતા ધર્મલોભી મનુષ્યો એકબીજા સાથે પ્રેમપૂર્ણ ધર્મવાતા કરે અને * નિઃશંક્તા, નિર્ભયતા અને તેના ફળસ્વરૂપે નિઃસંગતા (નિગ્રંથ-મુનિ પદ)ને ધારણ કરનાર સાધકની દશાનું અતિ અદ્ભુત, રોમાંચક, આલાદક, પરમ પ્રેરક, હુબહુ વર્ણન જિજ્ઞાસુઓએ શ્રી પ્રવચનસારની અમૃતચન્દ્રસૂરિની ૧૯૯ થી ૨૦૦ ગાથાઓની ટીકામાં અવલોકવું. ૧. અપૂર્વ અવસર, શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક-૭૩૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy