SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો વ્યાકરણનું પ્રશ્નપત્ર લખતા હતા ત્યારે તેમને પત્નીના દેહાવસાનના સમાચાર જણાવતો પત્ર મળ્યો. ગણેશપ્રસાદજીએ મનોમન વિચાર્યું કે આજે બંધન-મુક્ત થઈ ગયો. બાઈજીને પણ પત્રથી જણાવી દીધું કે હું આજથી બંધન-મુક્ત થયો છું અને હવે નિ:શલ્ય ભાવથી અધ્યયન કરી શકીશ. પં. ગોપાલદાસજી બયાનો પત્ર આવવાથી ગણેશપ્રસાદજી યંપુર છાડી ભણવા માટે મથુરા પહોંચી ગયા. ત્યાં રહી બે વર્ષ અધ્યયન કર્યું. ત્યાંથી ખુરજા ગયા અને ત્યાં બે વર્ષ૨હી બનારસની પ્રથમ પરીક્ષા અને ન્યાયમધ્યમા પાસ કરી. ત્યાંથી જેઠ માસની ગરમીમાં સમેતશિખરની યાત્રાએ ગયા જ્યાં પરિક્રમા કરતી વખતે માર્ગ ભૂલી જવાથી તરસની બાધાએ હેરાન કર્યા પણ એકાગ્ર ચિત્તથી પાર્શ્વપ્રભુના સ્મરણથી વનમાં લબાલબ ભરેલ પાણીનો કુંડ પ્રાપ્ત થયો અને તેના પાણી દ્વારા તેમણે પોતાની તૃષા બુઝાવી. આ ખરે જ એક ચમત્કારિક બનાવ હતો. શિખરજીની યાત્રા પછી ટીકમગઢના રાજાના વિદ્વાન અને પ્રસિદ્ધ મહાનૈયાયિક શ્રી દુલારકા પાસે તેમણે મુક્તાવલિ, પંચલક્ષણી, વ્યધિકરણ આદિ ન્યાયના કઠિન ગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે પં. ઠાકુરદાસજી પાસે અધ્યયન કર્યું. ત્યાંથી વિ. સં. ૧૯૬૧માં સંસ્કૃત વિદ્યાની પ્રસિદ્ધ નગરી વારાણસી તરફ પ્રયાણ કર્યું. તે સમયે તેમની ઉંમર લગભગ ૩૦ વર્ષની હતી. વિદ્યાધ્યયન માટે તેઓ દસ-બાર વર્ષ સુધી ફરી ચૂકયા હતા. ૯૮ સ્યાદ્રાદ વિદ્યાલયની સ્થાપના : ગણેશપ્રસાદજી વારાણસી પહોંચ્યા તે સમયે ફૂવીન્સ કૉલેજના ન્યાયના મુખ્ય અધ્યાપક શ્રી જીવનાથ મિશ્રા હતા. એક દિવસ ગણેશપ્રસાદજીએ તેમના ઘરે જઈ તેમને ન્યાયશાસ્ત્ર ભણાવવાની વિનંતિ કરી. મિશ્રાજીએ જ્યારે કુળ વિશે પૂછ્યું ત્યારે ગણેશપ્રસાદજીએ જણાવ્યું કે, “હું બ્રાહ્મણ નહીં, જૈન છું.” આ સાંભળતાં જ મિશ્રાજીની ક્રોધાગ્નિ ભભૂકી ઊઠી અને તેમણે ગણેશપ્રસાદજીનું ઘોર અપમાન કરતાં જણાવ્યું કે હું જૈનોને ભણાવતો નથી. આ સમયે ગણેશપ્રસાદને જૈન ધર્મનું અપમાન થતું જોઈને ખૂબ લાગી આવ્યું. સુપાર્શ્વનાથ તથા પાર્શ્વનાથની જન્મભૂમિ વારાણસીમાં જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનના અધ્યયનની વ્યવસ્થા કરવાનું તેઓ વિચારવા લાગ્યા. તે દિવસે રાત્રે તેમને એક સ્વપ્ન આવ્યું. તેમાં તેમને બાબા ભગીરથની મદદ લેવાનું સૂચન હતું. થોડોક સમય શ્વેતામ્બર વિદ્યાલયના અધ્યાપક શ્રી અમ્બાદાસ શાસ્રી પાસે અધ્યયન કરતા રહ્યા. તે દરમ્યાન બાબા ભગીરથને પત્ર દ્વારા બોલાવી લીધા. બંને જૈન વિદ્યાલયની સ્થાપના સંબંધી વિચારવા લાગ્યા. તે વખતે કામાના રહેવાસી ચમનલાલે ગણેશપ્રસાદજીને એક રૂપિયો આપ્યો. જેનાં ૬૪ પોસ્ટકાર્ડ ખરીદી ૬૪ જગ્યાએ પત્રો લખ્યા. અનેક લોકોએ તેમની સદ્ભાવનાની કદર કરી અને સારી એવી સહાયતા પ્રાપ્ત થઈ. એના ફળસ્વરૂપે વિ. સં. ૧૯૬૫ના જેઠ સુદ શ્રુતપંચમીના રોજ દાનવીર શેઠ માણિકચંદજીના શુભહસ્તે ભજ્જૈની ઘાટ પર સ્થિત મંદિરના મકાનમાં સ્યાદ્વાદ વિદ્યાલયના મકાનનું ઉદ્ઘાટન થયું. ગણેશપ્રસાદજી સ્વયં તેના વિદ્યાર્થી બન્યા અને બાબા ભગીરથજીની દેખરેખમાં તેનું સંચાલન થવા લાગ્યું. ગણેશપ્રસાદજીની સલાહ અનુસાર અમ્બાદાસ શાસ્રી તથા બીજા બે અધ્યાપકો આ વિદ્યાલયમાં નિયુક્ત થયા. બાબા ભગીરથજી ખૂબ જ ખંતપૂર્વક વિદ્યાલયનું સંચાલન કરવા લાગ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy