SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો સંવત ૧૯૫૯માં તેમણે ઇન્દોર અને છાવણીની મધ્યમાં જમીન ખરીદી અને તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ભવ્ય જિનાલાયનું નિર્માણ કર્યું. ઈતવારિયાના ભવ્ય જિનમંદિરના નિર્માણ માટે તેમણે જયપુર અને ઈરાનથી કુશળ કારીગરો બોલાવ્યા હતા. અહીં મોટા ભાગનું કામકાજ કાચનું છે. રંગબેરંગી કાચનાં અત્યંત સુંદર અને મનોહર ચિત્રો બનાવવામાં આવ્યાં છે. તેમાં સિદ્ધક્ષેત્ર, સમવસરણ, ત્રણલોક, નન્દીશ્વરદ્વીપ, સ્વર્ગની રચના, સપ્તવ્યસન તથા અષ્ટકર્મ વગે૨ે ચિત્રો બનાવવામાં આવ્યાં છે. આ દશ્યો જોઈને દર્શક ભાવવિભોર બની જાય છે. આથી જ ઇન્દોરને ‘તીર્થનગરી’ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્દોરમાં પ્લેગથી પીડાતી જનતાને પણ તેમણે સહાય કરી હતી તેમજ અસહાય જૈન ભાઈઓ માટે સો રૂપિયાના માસિક ખર્ચ પર એક ભોજનાલયની વ્યવસ્થા પણ કરી હતી. સંવત ૧૯૭૦ માં પાલિતાણામાં એક અધિવેશનમાં તેઓ સભાપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે ચાર લાખ રૂપિયાના દાનની ઘોષણા કરી હતી. સંવત ૧૯૭૪ માં તેમણે દિલ્હીની લેડી હાર્ડિંગ મૅડિકલ હૉસ્પિટલમાં ચાર લાંખ રૂપિયાનું દાન આપ્યું હતું. શેઠસાહેબ હંમેશાં વિદ્યાદાન માટે કોઈ પણ નાતજાતનો ભેદભાવ રાખતા નહીં. તેમણે ૨૫ હજાર રૂપિયા આપીને સ્કૂલ માટે એક મકાન ખરીદ્યું હતું. આવી શાત-અજ્ઞાત અનેકવિધ દાનપ્રવૃત્તિઓ શેઠસાહેબના જીવનની રોજબરોજની ઘટનાઓ બની ગઈ હતી. શેઠજીની અલવિદા : આમ સતત પાંચ દાયકાઓ સુધી સમાજ, ધર્મ અને ઉદ્યોગના ક્ષેત્રે ઉચ્ચસ્તરીય સેવાઓ આપી શેઠશ્રીએ તા. ૨૬-૨-૧૯૫૯ના રોજ આપણા સૌની પાસેથી ચિરવિદાય લઈ લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy