SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી ભૂમિકા : જેમની ગણના વર્તમાન શતાબ્દીના વિરલ સ્વરૂપનિષ્ઠ તત્ત્વવેત્તા, પરમ જ્ઞાનાવતાર અને ઉચ્ચ કોટિના સત્પુરુષ તરીકે કરી શકાય એવા શ્રીમદ્ રાજચન્દ્રજી અસાધારણ મહાપુરુષ હતા. વીસમી સદીના તત્ત્વજ્ઞાનીઓમાં તેઓ અગ્રપંક્તિમાં બિરાજે છે. શ્રીમદ્ રાજચન્દ્ર એટલે અધ્યાત્મ ગગનમાં ઝળકી રહેલી અદ્ભુત જ્ઞાનજ્યોતિ ! માત્ર જૈનસમાજની જ નહિ પણ અર્વાચીન વિશ્વની એક વિરલ વિભૂતિ ! અમૂલ્ય આત્મજ્ઞાનરૂપ દિવ્ય જયોતિના ઝળહળતા પ્રકાશથી પૂર્વમહાપુરુષોએ પ્રકાશિત કરેલા સનાતન મોક્ષમાર્ગનો ઉદ્યોત કરી, ભારતની પુનિત ભૂમિને વિભૂષિત કરી આ અવનીતલને પાવન કરનાર પરમ જ્ઞાનનિધાન, જ્ઞાનભાસ્કર, જ્ઞાનમૂર્તિ ! ભારતની વિશ્વવિખ્યાત વિભૂતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના શબ્દોમાં “શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમનાં લખાણો તેમના અનુભવનાં બિદુ સમાં છે. તે વાંચનાર, વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થઈ જાય છે. જેને આત્મક્લેશ ટાળવો હોય, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક હોય, તેને શ્રીમાં લખાણોમાંથી ઘણું મળી રહેશે, એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિન્દુ હો કે અન્ય ધર્મી. કાકાસાહેબ કાલેલકરના શબ્દોમાં “શ્રીમદ્ એક પ્રયોગવીર હતા. પ્રયોગસિદ્ધ ‘સમયસાર’ કે ‘આત્મસિદ્ધિ’નું જીવતુંજાગતું ઉદાહરણ એટલે શ્રીમદ્નું જીવન ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy