SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથની પ્રકાશક સંસ્થાનો સંક્ષિપ્ત પરિચય ટે. નં. (૦૨૭૧૨) ૨૨૯૫૮ નામ : શ્રી સમ્રુત-સેવા-સાધના કેન્દ્ર (પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન નં. ઇ-૨૬૮૦, અમદાવાદ.) સ્થાપના : મે ૧૯૭૫ : મુખ્ય કાર્યાલય : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા–૩૮૨ ૦૦૯ (જિલ્લો ગાંધીનગર) ગુજરાત. [ પ્રેરક : શ્રાદ્ધેય શ્રી આત્માનંદજી ] સ્થાપના : આ સંસ્થાની સ્થાપના વિક્રમ સંવત ૨૦૩૧ વૈશાખ સુદ ૧૦ તા. ૯-૫-૭૫ ના રોજ ભગવાન શ્રી મહાવીરસ્વામી-કેવલજ્ઞાન-કલ્યાણકના પવિત્ર દિવસે અમદાવાદમાં થઈ હતી. સને ૧૯૮૨ માં તેનું પોતાનું સાધના કેન્દ્ર, કોબા (જિ. ગાંધીનગર) ખાતે તૈયાર થવાથી હવે સંસ્થાની બધી પ્રવૃત્તિઓ આ સ્થળે ચાલે છે. ઉદ્દેશ અને પ્રવૃત્તિ : આ કેન્દ્રની સ્થાપનાના ઉદ્દેશો અને અત્યાર સુધીમાં થયેલી શુભ પ્રવૃત્તિઓનું સંક્ષિપ્ત વિહંગાવલોકન અત્રે પ્રસ્તુત કરીએ છીએ. સંસ્થાના મુખ્ય ઉદ્દેશો : (૧) અધ્યયન-અધ્યાપન અને સાહિત્યપ્રકાશન. (૨) આધ્યાત્મિક સાધના : શાન, ભક્તિ, વૈરાગ્ય અને નિષ્કામ સેવાની ભાવના જીવનમાં જગાડવી. (૩) ભક્તિ-સંગીતનો વિકાસ કરવો. Jain Education International પ્રવૃત્તિઓ : (૧) સત્સંગ-સ્વાધ્યાય-ભકિત તથા ધ્યાનનો અભ્યાસ ઃ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં વિકસાવવા માટે અને સગુણસંપન્નતાની સિદ્ધિ માટે આ કાર્યક્રમોને કેન્દ્રની દૈનિક પ્રવૃત્તિમાં આવરી લેવામાં આવ્યા છે. કેન્દ્રનું મધ્યસ્થ કાર્યાલય કોબા ખાતે લઈ જવામાં આવ્યું તે પહેલાં દર વર્ષે સંસ્થાના સ્થાપના દિને ઉપરોક્ત સાધનાના ઘનિષ્ઠ અભ્યાસ માટે એક શિબિર યોજવામાં આવતી હતી. પરંતુ ૧૯૮૨ પછી વધારે સમય, સગવડો, સહકાર અને સ્થિરતા પ્રાપ્ત થયાં હોવાથી અને સંસ્થામાં રસ લેનાર ભાઈ-બહેનોની સંખ્યા વધી હોવાથી દર વર્ષે સંસ્થાના કોબા ખાતેના મુખ્ય મથકે જ બે કે ત્રણ શિબિરો યોજાય છે, જેમાં એક ૨૭૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy