SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો સાહિત્યના અભ્યાસ કરનારાઓને માટે અનિવાર્ય જેવા બની ગયા છે. અનુવાદ એટલે માત્ર અનુવાદ જ નથી, પરંતુ વિવેચન ઉપરાંત અન્ય ગ્રંથોમાંથી જે તે વિષયની પુષ્ટિ માટે અનેક અવતરણો પણ આપવામાં આવ્યાં છે. વળી તુલનાત્મક ટિપ્પણોથી પણ એ અનુવાદો સમૃદ્ધ છે. તેમાં અનેક નકશાઓ તથા સૂચિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૬૦ ઈ. સ. ૧૯૨૦ ના પ્રારંભમાં તેમણે પોતાના જીવનની અમરકૃતિ ‘સન્મતિતક’નું સંપાદનકાર્ય શરૂ કર્યું. અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ મંદિરના આચાર્યપદે શ્રી જિનવિજયજી નિયુક્ત થયા એટલે તેમણે વિદ્ર-મંડળીનો સંગ્રહ શરૂ કર્યો અને પંડિતજીને પણ આગ્રહ કરીને બોલાવ્યા. તેઓ વિ. સં. ૧૯૭૮ માં વિદ્યાપીઠમાં જોડાયા અને પં. બેચરદાસજીના સહકારમાં સન્મતિતર્કની વાદમહાર્ણવ ટીકાનું સંપાદન કર્યું. આ સંપાદન ભારતીય દાર્શનિક સાહિત્યના સંપાદનના ઇતિહાસમાં અજોડ અને અપૂર્વ સિદ્ધ થયું છે. પંડિતજીએ મૂળ ટીકા માટે ઉપલબ્ધ હતી તેવી ૨૪ હસ્તપ્રતો એકત્ર કરીને પ્રશિષ્ટ વાચના તૈયાર કરી. આટલેથી જ સંતોષ ન પામતાં જે જે વિષયની ચર્ચા મૂળ અને ટીકામાં આવી હોય તે તે વિષયની ચર્ચા અન્યત્ર જે જે મુદ્રિત–અમુદ્રિત, દાર્શનિક કે અન્ય ગ્રંથોમાં થઈ હોય, તેનો નિર્દેશ પણ મૂળ પાઠોના અવતરણ સાથે ટિપ્પણોમાં કર્યો. આમ તેમણે તૈયાર કરેલો ગ્રંથ ભારતીય દાર્શનિક ચર્ચાઓના વિશ્વકોશની ગરજ સારે એવો છે. તે માટે તેમણે જે જહેમત ઉઠાવી તે ખરેખર અસાધારણ હતી. ભારતીય વિદ્રગતમાં તેમનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. આ ગ્રંથ જૈનદર્શનનો હોવા છતાં તેમાં બધા જ ભારતીય દાર્શનિક વિષયો ચર્ચાયા છે. તેથી તુલનાત્મક ટિપ્પણોનો અભ્યાસ કરનારને સમગ્ર ભારતીય દર્શનોની ગંભીર ચર્ચાઓ સહજમાં આ એક જ ગ્રંથમાં મળી જાય છે. હર્મન જેકોબી આદિ વિદેશી વિદ્વાનોએ પણ આ સંપાદનની મુક્તકંઠે પ્રશંસા કરી છે. આ કામ સતત ચાલ્યું હતું અને તેમાં પંડિતજીનો નવ વર્ષ જેટલો સમય વીત્યો. એ ગ્રંથ પાંચ-પાંચ ભાગમાં અનેક પરિશિષ્ટો સાથે છપાયો છે અને છઠ્ઠા ભાગમાં વિસ્તૃત પ્રસ્તાવના, મૂળનો અનુવાદ અને ગુજરાતીમાં ભાવાર્થ છે. ઈ. સ. ૧૯૩૩ માં પંડિતજી બનારસ યુનિવર્સિટીમાં જૈનદર્શનના પ્રાધ્યાપક તરીકે નિમાયા. બનારસ યુનિવર્સિટીમાં જોડાતાં પહેલાં, વિદ્યાપીઠની રજાઓ દરમિયાન તેમણે અનેક સ્થળે થોડું થોડું લખેલું પુસ્તક “ તત્ત્વાર્થસૂત્ર વિવેચન’’ ઈ. સ. ૧૯૩૦માં છપાયું. આમાં સામાન્ય જૈન અને વિદ્ભજ્જન–બંને માટે ઉપયોગી શૈલીમાં મૂળ તત્ત્વાર્થસૂત્રનું વિવેચન છે. જૈન ધર્મ-દર્શન માટેના પાઠયપુસ્તક જેવો આ પ્રશિષ્ઠ ગ્રંથ અત્યંત લોકપ્રિય થયો છે. બનારસ યુનિવર્સિટીમાં ૧૯૩૩ થી ૧૯૪૪ સુધીનાં વર્ષો તેમણે અધ્યાપન ઉપરાંત સ્વાધ્યાયમાં પસાર કર્યાં હતાં. આમ છતાં તેમની મુખ્ય પ્રવૃત્તિ તો સાહિત્યસર્જનની જ રહી હતી. અધ્યાપન હોય કે અધ્યયન, પણ તેનો પરિપાક સાહિત્યસર્જનમાં થવો For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001288
Book TitleArvachin Jain Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1988
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy