SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] વૈરાગ્યપ્રેરક વચનો ગદ્ય વિભાગ : યૌવન, જીવન, લક્ષ્મી, સ્વામીપણું અને સ્વજન-મિત્રાદિ સર્વ અનિત્ય છે; અનિયતપણે અને ત્વરાથી તેમનો વિયોગ થતો જોવામાં આવે છે માટે તેમના પ્રત્યેની આસક્તિ છોડવી જોઈએ અને ધર્મની આરાધનામાં લાગવું જોઈએ. * આ આશારૂપી ખાડો કદાપિ ન પૂરી શકાય તેવો છે. માણસની તૃષ્ણા અનંત છે અને મેળવી શકાય તેવી વસ્તુઓ સાંત (અંત સહિત; મર્યાદિત) છે, તો પછી તૃષ્ણા કેવી રીતે સંતુષ્ટ થશે ? આમ વિચારી વિવેકી પુરુષો તૃષ્ણાને નિયમમાં લાવી સંતોષ ધારણ કરે છે. * જેને મોક્ષની ઇચ્છા હોય તેણે દૂરથી જ વિષયોને ઝેર સમાન જાણી તેમનો ત્યાગ કરવો જોઈએ; અને જિતેન્દ્રિયતા, ઉપશાંત ભાવ, સરળતા, ક્ષમા, દયા, સંતોષ આદિ ગુણોને અમૃત સમાન જાણી ધારણ કરવા જોઈએ. કર્મો કરવાથી, પ્રજોત્પત્તિ કરવાથી કે ધનસંચય કરવાથી નહીં, પરંતુ એકમાત્ર સાચા ત્યાગથી જ અમરતાની પ્રાપ્તિ થાય છે. * આહાર-વસ્ત્ર, બંગલા-મોટર, રેડિયો-ટેલિવિઝન, સોના-ચાંદીનાં આભૂષણો, હીરા-મોતીના દાગીના વગેરે જડ પદાર્થોમાં Jain Education International www.jainelibrary.org
SR No.001287
Book TitleBodhsar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy