SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-વિજ્ઞાન રાગ-દ્વેષ અને મોહને એકબીજા સાથે ગાઢ સંબંધ છે, તેઓ પરસ્પર એકબીજા ઉ૫૨ આશ્રિત છે. મોહ ઘટે તો રાગદ્વેષ ઢીલા થાય અને રાગ-દ્વેષ ઘટાડીએ તો મોહનું જોર ઓછું થઈ જાય. ૫રમાર્થથી વિચારતાં, જે કાળમાં મુમુક્ષુઓ અત્યંત ઓછા હોય અને સત્પુરુષોનો દુષ્કાળ હોય તે કાળને કલિયુગ કહ્યો છે. • જો જીવનમાં દુ:ખ, અશાંતિ, ભય, શોક આ બધાંનો ગણનાપાત્ર અનુભવ થતો હોય તો જાણવું કે હજુ આપણા જીવનમાં સાચો ધર્મ પ્રગટ્યો નથી. • દુનિયાના મનુષ્યો બહારની સૃષ્ટિ બદલવા ઉપર બહુ જ ભાર મૂકે છે; જ્યારે જ્ઞાનીપુરુષ મુખ્યપણે અંતરની દૃષ્ટિ બદલવાનું કહે છે, જે સિદ્ધ થતાં ક્રમે ક્રમે સૃષ્ટિ તેને અનુરૂપ થઈ જાય છે. • જેટલો ઉત્સાહ અને તૈયારી વ્યાવહારિક મંગળ-પ્રસંગોમાં હોય છે તેટલો ઉત્સાહ અને તૈયારી મૃત્યુ વેળા રાખી શકે છે, તેવા જ્ઞાનીને મૃત્યુ-મહોત્સવ / સમાધિ-મરણની પ્રાપ્તિ થઈ શકે છે. • જેમ ઘુવડોની સભામાં સૂર્ય દેખનાર કોઈ હોતું નથી, તેમ તથાકથિત સત્સંગમાં પણ સાચા ભાવરૂપી નેત્રોના અભાવને લીધે, યથાર્થ ફળની પ્રાપ્તિ વક્તાને કે શ્રોતાને - કોઈને પણ થતી નથી. - કાંચન અને કામિની છોડનાર મહાપુરુષ છે; પણ કીર્તિનો મોહ છોડવો એ તેનાથી પણ વધારે વિકટ છે; કારણ કે Jain Education International J-૩૫ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy