SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ સ્વાનુભવે સહજ આત્મસ્વરૂપ રાજે, પામી સમાધિ શિવમંદિર તે વિરાજે. (૪) ધન્ય જ્ઞાની ભગવંત તે, જે પરભાવ તત, લોકાલોક પ્રકાશક૨, આત્મા વિમલ લહંત. (૫) દાન્ત શાન્ત સદા ગુપ્ત, મોક્ષાર્થી સમકીતિ જે, અધ્યાત્મવૃદ્ધિને કાજે કૃતિ કરે નિર્દભ તે. (૬) નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તે અધ્યાતમ લહિયે રે. જે કિરિયા કરી ચૌગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે, નામ અધ્યાતમઠવણ અધ્યાતમ દ્રવ્ય અધ્યાતમ ઠંડો રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાથે, તો તેહશું ૨ઢ મંડો રે શ્રી શ્રેયાંસજિન અંતરયામી, આતમરામી નામી રે... (૭) ચિત્તરૂપી રણ ઉપ૨ અધ્યાત્મરૂપી વર્ષા થવાથી યોગનું બીજ પુષ્ટ થાય છે, પુણ્ય પરંપરાઓની પ્રાપ્તિ થાય છે અને સર્વત્ર ઘણી જ શાંતિનો અનુભવ થાય છે. સાધક–સાથી (૮) ચિત્તરૂપી નગરીમાં અધ્યાત્મરૂપ સૂર્યનો ઉદય થતાં તેના પ્રખર પ્રતાપથી અજ્ઞાનરૂપ અંધકાર ક્યાંથી રહે ? વળી તેના પ્રતાપથી વિષયોગરૂપ કાદવ સુકાઈ જાય છે અને ક્રોધ, માન, માયા, લોભ વગેરે ચોરો પલાયન થઈ જાય છે. (૯) આનંદપૂર્ણ સમાધિરૂપ અમૃતને ફેલાવનાર અધ્યાત્મરૂપ ચન્દ્રની સ્પૃહા જેના ચિત્તમાં પ્રગટી નથી તે નિષ્ફળ જન્મવાળો મનુષ્ય, મનુષ્યની આકૃતિરૂપ પશુ છે. (૧૦) જેની ચિત્તવૃતિ આત્મસ્વરૂપમાં રમણ કરે છે, જે સંસારના પ્રપંચ તરફ મધ્યસ્થ થઈ ગયો છે અને જે અધ્યાત્મ-રાજેશ્વરના અનુગ્રહને પામ્યો છે તેને સિદ્ધિઓની અને લબ્ધિઓની પ્રાપ્તિમાં શું ન્યૂનતા હોઈ શકે ? (૧૧) ધ્યાન, મૌન, તપ અને અનુષ્ઠાન-આ બધું અધ્યાત્મમાર્ગની સન્મુખ હોવું જોઈએ, નહિ તો કલ્યાણકારક થાય નહિ. દરેક પ્રગતિ લક્ષ્યવાળી હોય તો જ યોગ્ય ગણી શકાય. (૧૨) મોહના સામર્થ્યને વશ નહિ થયેલા એવા મહાત્માઓની આત્માને લક્ષીને થયેલી શુદ્ધ પ્રગતિને ભગવાન અધ્યાત્મ કહે છે. (૧૩) યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy