SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મભાવના સુખમાં દુઃખમાં સમ ભાવ ધ. મનતનવચથી શુદ્ધ કાર્ય કર્યું. મનડું પ્રભુપ્રીત થકી જ ભરું, ભવસાગરને ઝટ પાર કર્યું. નિજ આતમની ઝટ શુદ્ધિ કરું. પરમાતમ પદ ઝટ શુદ્ધ વવું. ૨ (બ) સારું અને સત્ય તો જ્યાંથી મળે ત્યાંથી ગ્રહણ કરવું જોઈએ. ગચ્છભેદથી કોઈ આત્મજ્ઞાની ઉત્તમ મુનિનાં પૂજા-સ્તવનમાં પક્ષપાત દર્શાવવો ઉચિત નથી. ૨૭૫ ૧ (ક) મને જે સત્ય જણાશે તે દુનિયાને જણાવીશ. ઇન્દ્રની પદવી કરતાં આત્માના ધર્મને મહાન ગણીશ. આત્મધર્મ પ્રગટાવવા પરમ પુરુષાર્થ કરીશ. ઉત્તમ બ્રહ્મચર્ય ધારીશ. જુવાન સ્ત્રી, બાળા સાથે ખાનગી પિરચયમાં નહિ આવું. રાગદૃષ્ટિ પેદા થાય તે રીતે જાહેરમાં પણ કોઈ સ્ત્રી સાથે વાત કરીશ નહિ. (ડ) સત્ય દેવ, સાચા ગુરુ અને સત્યધર્મનું મને સમ્યાન થયું છે. ગમે તેવા સંયોગોમાં સમ્યદૃષ્ટિનો ઉપયોગ રાખીશ. અનેક પ્રકારના અજ્ઞાની મનુષ્યો પર ક્રોધ, ક્લેશ કે અરુચિ નહિ ધરું. સાત નયોની અપેક્ષાએ અનેક દર્શન-ધર્મશાસ્ત્રોમાંથી સાપેક્ષિક સત્ય ગ્રહણ કરીશ અને અસત્યને અસત્યરૂપે જાણીશ. (ઇ) ત્યાગઅવસ્થાની આત્માનો શુદ્ધોપયોગ ધારણ કરવામાં ઘણી સહાય મળશે અને નિરુપાધિક દશા પ્રાપ્ત થશે. હવે હું મારા આત્માના સ્વરૂપમાં રમીશ અને સર્વ વિશ્વજીવોની દયા પાળીશ." આ મહાન યોગી તે ગુજરાતના મહુડી સંસ્થાના આદ્યપ્રણેતા શ્રીબુદ્ધિસાગરસૂરિ મહારાજ. Jain Education International [૨] આ સદીના પ્રારંભમાં અમદાવાદમાં એક પ્રસિદ્ધ મહાત્મા થઈ ગયા. નાની ઉંમરમાં લીધેલા ગૃહત્યાગથી, ઉત્કટ વૈરાગ્યથી, સત્સંગથી, અભ્યાસથી અને નિઃસ્પૃહતાથી તેઓએ બે દાયકામાં તો સમસ્ત ગુજરાતના એક મહાન સંત અને લોકોપકારી પુરુષ તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. જો કે સત્સમાગમ, પ્રવચન અને ઉપકારવૃત્તિને લીધે તેઓને લોકોનો પ્રસંગ પણ ઘણો રહેતો, છતાં વચ્ચે વચ્ચે જ્યારે સમય મળે ત્યારે તેઓ એકલા કેમ્પના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy