SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમહાવ્રતની આરાધના આમ સામાન્યપણે આ પાંચ મહાવ્રતોનું સ્વરૂપ આપણે વિચાર્યું. પ્રારંભમાં જ જણાવ્યું હતું તેમ આ મહાવ્રતોનું પાલન સંપૂર્ણપણે આ જમાનામાં વિરલ પુરુષો જ કરી શકે છે, કારણ કે સતત આત્મજાગૃતિ દ્વારા દિવ્યજીવનની જેમને પ્રસાદી પ્રાપ્ત થઈ હોય તેવા પુરુષો જ ક્રમે કરીને સંયમની આરાધનામાં આગળ વધતાં વધતાં મહાવ્રતોની ભૂમિકા સુધી પહોંચી શકે છે. ધન્ય તે મહાત્માઓ ! ધન્ય તે મુનિવરો ! આપણાં તેમને અનેક વાર વંદન હો ! મહાવ્રતો અને મહાવ્રતધારી મહાત્માઓનો મહિમા (૧) અકષાય ઉદ્યમી, દાંત છે, સંસારથી ભયભીત છે, શૂરવીર છે તે જીવને પચખાણ સુખમય હોય છે. ૨ (૨) શાંતિકે સાગર અરુ નીતિકે નાગર નેક, દયાકે આગર જ્ઞાન-ધ્યાન કે નિધાન હો; શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી ધર્મ કે ઉદ્યાન હો. રાગદ્વેષસે રહિત પરમ પુનિત નિત્ય, ગુનોં ખચીત ચિત્ત સજ્જન સમાન હો; રાયચન્દ્ર ધૈર્યપાલ ધર્મઢાલ ક્રોધકાલ, મુનિ તુમ આગે મેરે પ્રણામ અમાન હો. (૩) શરીરને રોક્યા વિના મનોજયની પ્રાપ્તિ થતી નથી, પરંતુ શરીરના સંયમની સાથે સાથે મન ઉપર પણ અંકુશ રાખવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. (૪) ઉત્તમ મનુષ્યભવ પામીને ચારિત્ર્યપાલનમાં મહાન યત્ન કરવો જોઈએ, સદ્ધર્મની ઉત્તમ ભક્તિ કરવી જોઈએ અને ઉપશમભાવમાં ૫૨મ પ્રીતિ કરવી જોઈએ. ૨૫૯ (૫) હૈ ધીરવીર પુરુષ ! સ્વચ્છંદી અને વિકારી થઈ રહેલા આ ઇન્દ્રિયોરૂપી હાથીઓને શીલરૂપી વૃક્ષ સાથે વિજ્ઞાનરૂપી દોરડાથી દૃઢપણે બાંધી દે, કારણ કે બ્રહ્મચર્ય અને તત્ત્વવિજ્ઞાન જ તેમને વશ કરવામાં ખરાં સાધન છે. ૧. ઇન્દ્રિયોનું દમન કરનાર, સંયમી. ૨. વિશિષ્ટ ત્યાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy