SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદ ૨૫૩ માય કરવાં. ગપ્પાં મારવામાં આ જમાના પ્રમાણે ભાઈઓના સમૂહમાં સૌથી વધારે વાતો રાજકારણની, રમતગમતની અને સિનેમાની હોય છે. બહેનોના સમૂહમાં આ વાતો ખાવાપીવાની, નવી નવી વાનગીઓની અને નવી નવી ફૅશનોની હોય છે. આ છોડવામાં આવે તો નેવું ટકા ગપ્પાં ઓછાં થઈ જશે. જો સાવધાનીથી આ કુટેવોને ક્રમે કરીને છોડી દઈએ તો પ્રમાદને સામાન્યપણે જીતી લીધો છે એમ કહી શકાય. પ્રમાદનો જય પ્રમાદનો જય કરવો જો કે સહેલો નથી, કારણ કે દીર્ઘ કાળથી આપણે પ્રમાદ જ સેવતા આવ્યા છીએ અને તેથી અતિપરિચયને લીધે આપણને તેની સાથે પ્રીતિ થઈ ગઈ છે, પરંતુ સર્વે મહાત્માઓએ તેની સાથે પ્રીતિ તોડીને આત્મસાધના દ્વારા જ ઉત્તમ સમાધિની પ્રાપ્તિ કરી છે અને તેથી આપણે પણ તે જ કર્તવ્ય છે. જો કે શરૂઆતના સાધકને તેની સાધનામાં ઘણી વાર અનેક પ્રલોભનો પોતાના સ્વજન-મિત્રાદિ તરફથી અથવા પોતાના મનની નિર્બળતાઓને લીધે ઊપજે છે, તો પણ મૂળ ધ્યેયને લક્ષમાં રાખીને વારંવાર ઉદ્યમ કરવાથી તે પ્રમાદને જીતી શકાય છે. આધ્યાત્મિક ડાયરી નિયમિતપણે લખવાથી પ્રમાદ ઉપર ચોતરફી હુમલો થઈ શકે છે. કારણ કે : (૧) કેટલા વાગ્યે ઊઠ્યા, (૨) કેટલા વાગ્યે સૂતા, (૩) કેટલો વખત દુન્યવી કાર્યોમાં વિતાવ્યો, (૪) કેટલો વખત સાધનામાં વિતાવ્યો. - આ ચાર બાબતો તેનાથી નક્કી થશે. આ ડાયરી લખનારને થોડા મહિનામાં જ પોતાની અનેક કુટેવો સુધારવા તરફ લક્ષ જશે. સૂર્ય ઊગતા પહેલાં ઓછામાં ઓછા અર્ધા કલાકે ઊઠવાની અને સામાન્ય સંજોગોમાં રાત્રે ઉજાગરા ન કરવા ભણી પણ તેની દૃષ્ટિ તુરત જશે. આમ ઊંઘની નિયમિતતા જાળવવા આહારની અને વિહારની (બહાર જવાની) નિયમિતતા તેને જાળવવી પડશે. વળી દિવસ દરમિયાન કોના કોના સંગમાં કેટલો કેટલો સમય ગાળ્યો તેની નોંધ લખવાથી કુસંગનો ત્યાગ થશે. સ્વાધ્યાય-ભક્તિમાં કેટલો સમય વિતાવ્યો તેનો હિસાબ રાખવાથી સાસ્ત્રનું નિયમિત વાચન ચાલુ થશે અને પરમાત્મા અને સંતો પ્રત્યે આદર-સત્કાર-ભક્તિનો ભાવ વધશે. છેલ્લે આત્મશાંતિના વિરોધી ભાવોનું આલેખન કરવાથી કેટલી વાર ક્રોધ કર્યો. કેટલી વાર અભિમાન કર્યું, કેટલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy