SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સન્શાસ્ત્રોના ઉપકાર ૧૭૭ ઉદાર અને સાપેક્ષદૃષ્ટિસહિત જ્યારે સાધક ગુણગ્રાહક થઈને આત્માની શુદ્ધિ અર્થે શાસ્ત્રોને સેવે છે ત્યારે તેને સત્ય વિવેકની પ્રાપ્તિ થવાથી અવશ્ય આત્મસમાધિ સિદ્ધ થાય છે. સન્શાસ્ત્રોની સાધના ઇતર વાચન અને આધ્યાત્મિક વાચનમાં આકાશ-પાતાળનો ફેર છે. પહેલાનું ધ્યેય લૌકિક-ઉપાધિની પ્રાપ્તિ કે મનોરંજન કે કાળનિર્ગમન (Pastime) છે, જ્યારે આધ્યાત્મિક વાચનનું ધ્યેય ઉપશમ-વૈરાગ્યની વૃદ્ધિ અને પદાર્થનો યોગ્ય નિર્ણય કરી આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાનો છે. ઘણા પ્રકારના સ્વાધ્યાદિનો પરિશ્રમ દીર્ઘકાળ સુધી કર્યા છતાં જો આ ફળની પ્રાપ્તિ ન થાય તો સાધકે સત્વશાસ્ત્રોની સાચી સાધના કરી છે એમ ન ગણી શકાય. સન્શાસ્ત્રોનો ઉપકાર સાધક ઉપર અમાપ છે. જે જે તત્ત્વ બુદ્ધિગમ્ય છે, તર્ક વડે સમજી શકાય છે, અનુમાન વડે પ્રમાણિત થઈ શકે છે અને અભ્યાસ વડે સિદ્ધ થઈ શકે છે, તે તે તત્ત્વો બતાવીને તો સન્શાસ્ત્રો આપણા ઉપર ઉપકાર કરે જ છે, પરંતુ દૂરકાળવતી એવા રામ-રાવણાદિ પદાર્થો દૂરક્ષેત્રવર્તી એવા મેરુ પર્વત, સ્વર્ગ કે નરકાદિ પદાર્થો અને અતિસૂક્ષ્મ એવા એકેન્દ્રિય જીવો વગેરેનું દિગ્દર્શન કરાવી સત્તાસ્ત્રો આપણને જે ત્રીજું નેત્ર પૂરું પાડે છે તેનો ઉપકાર આપણે શું ખરેખર વાળી શકીએ એમ છીએ? પૂર્વે થયેલા અનેક કક્ષાના વિશિષ્ટ મહાજ્ઞાનીઓ અને સમસ્ત વિશ્વના સમસ્ત પદાર્થોને સહજપણે જાણનાર એવા સર્વજ્ઞ પરમાત્માના બોધનો જ એ પ્રભાવ છે કે આપણને આપણા સાચા સ્વરૂપનું, મોક્ષમાર્ગનું અને પરોક્ષ એવા સૂક્ષ્મ પદાર્થોનું પણ જ્ઞાન આજે પ્રાપ્ત થયું છે. વર્તમાન સાધક વર્ગમાં સન્શાસ્ત્રોની સાધના પ્રત્યે એક પ્રકારની બેદરકારી અને ઉપેક્ષાવૃત્તિ દેખાય છે. અવિવેક અને પ્રમાદથી ઉત્પન્ન થયેલી સાધકોની આ અરુચિ આપણી મહાન અવનતિનું સૂચન કરે છે. આ અવનતિ નિવારવા માટે નિયમિતપણે અને નિયમપૂર્વક શાંત ચિત્તે સાસ્ત્રોનું શ્રવણ, વાચન, મનન, લેખન, સ્મરણ, અનુપ્રેક્ષણ અને અનુસરણ માત્ર રાહકારી અને ઉપકારી જ નહિ, પણ આવશ્યક અને અનિવાર્ય જાણીએ છીએ, અને તે માટે ગમે તેવો ભોગ આપીને પણ પુરુષાર્થ કરવો યોગ્ય છે. તેમ ન કરવા માટે કોઈ પણ સાધકે કોઈ પણ બહાનું બતાવવું તે અશ્રેયસ્કર અને આત્મઘાતક છે એમ નિશ્ચયથી જાણો. સાંપ્રદાયિકતાને આધીન થઈ જવાથી અન્ય વિશિષ્ટ મહાપુરુષોના ગ્રંથો ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy