SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મના નિયમો ૧૨૫ અનુરૂપ કમનો બંધ થાય છે. જો કે તેનું નિયામક કારણ તેના અંતરના ભાવ છે તો પણ મન, વચન, કાયાની ક્રિયાઓ પણ તેમાં સહકારી કારણરૂપ હોય કર્મને યોગ્ય સૂક્ષ્મ રજકણો આ જગતમાં સર્વત્ર ભરેલા છે. જ્યારે જીવ બંધના કારણને સેવે છે ત્યારે તે રજકણો કર્મજ (કામણવર્ગણા) રૂપે રૂપાંતર પામી આત્મા સાથે એક ક્ષેત્રાવગાહ (આત્માના પ્રદેશો સાથે વિશેષપણે બંધનરૂપ) સંબંધે ચોંટી જાય છે. દાખલા તરીકે. કોઈ માણસે અભિમાન કર્યું તો તેનું અભિમાન કરવાનો શો અભિપ્રાય છે, અભિમાનની કેટલી તીવ્રતા છે અને તે વખતે તે માણસ વચન અને કાયાની કેવા પ્રકારની ચેષ્ટાઓ કરે છે, તેને અનુરૂપ કર્મનાં રજકણો તેના આત્માને ચોંટી જાય છે. જેમ આહાર લેવાથી તે પચીને તેનું લોહી, માંસ, હાડકાં, વીર્ય, મજ્જા વગેરે રૂપે સ્વયં પરિણમન થઈ જાય છે, તેમ કર્મનાં રજકણો જીવના ભાવને અનુરૂપ અમુક જાતનું સ્વરૂપ લઈને તે જીવ સાથે ચોંટી જાય છે. જેમ કે જ્ઞાનને રોકનારા, બળને રોકનારા, દર્શનને રોકનારા (પ્રકૃતિબંધ) તે રજકણોની અમુક કાળ સુધી આત્માની સાથે રહેવાની સમયમર્યાદા સ્થિતિબંધ). તે રજકણોમાં અમુક પ્રમાણમાં આત્માની શક્તિ રોકવાની તાકાત હોય છે (અનુભાગબંધ). તે રકજણો અમુક સંખ્યામાં (જથ્થામાં) આત્મા સાથે બંધનને પામે છે (પ્રદેશબંધ). આમ સામાન્યપણે આત્મા બંધનનાં કારણોને સેવવાથી બંધાય છે. આ પ્રમાણે બંધાયેલો આત્મા તે તે કર્મના ઉદય પ્રમાણે ચાર ગતિ અને ચોર્યાથી લાખ યોનિઓમાં પરિભ્રમણ કરે છે. જગતના અજ્ઞાની આત્માઓ કર્મનો ઉદય તથા આત્મામાં જેવા જેવા ભાવો થાય તેવા તેવા ભાવો રૂપે પોતાને માને છે. આમ, કર્મબંધનના ઉદયના નિમિત્ત(કારણ)થી આત્મામાં વિભાવભાવો થાય છે અને આવા વિભાવભાવો નિમિત્ત(કારણ)થી નવાં કર્મો આત્મામાં બંધાય છે. આમ, સંસારનું વિષચક્ર ચાલ્યા જ કરે છે. કર્મોદયની વિચિત્રતાઓ આ જગતમાં જે અનેક પ્રકારની વિચિત્રતાઓ દેખાય છે તે સર્વ આ * આગ્નબંધનાં મુખ્ય પાંચ કારણ સિદ્ધાંતમાં કહ્યાં છે ? અજ્ઞાન, અવિરિત. (અસંયમ), પ્રમાદ, કષાય (ક્રોધાદિ વિભાવભાવો) અને યોગ (મન-વચન-કાયાની પ્રવૃત્તિ). અભ્યાસીએ તે તત્ત્વાર્થસૂત્ર.’ ગોમટ્ટસાર,’ ‘કર્મગ્રંથ' આદિ શાસ્ત્રોમાંથી વિશેષપણે જાણવા યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy