SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સમાગમ જેઓ પરદેશમાં રહી પરદેશી રીતરિવાજો પાળતા થઈ ગયા હતા. બીડી-દારૂ વગેરે અનેક વ્યસન સેવતા હતા તેમના ઉપર પણ એક જ ઉત્તમ સમાગમથી આવું પરિવર્તન જોઈ નાહટાજી અને સૌ મુમુક્ષુઓ નવાઈ પામ્યા. સત્સમાગમનું કેવું ઉત્તમ ફળ !! [] પંદરમી સદીમાં થઈ ગયેલા શ્રી ચૈતન્યના અનન્ય ભક્ત શ્રી હરિદાસના જીવનનો આ પ્રસંગ છે. તેઓ ભક્તિની વિશેષ સાધના તે દિવસો દરમિયાન રાત્રે જંગલમાં જઈને કરતા હતા. રામખાન નામના એક માણસે તેમને ભક્તિમાંથી ચળાવવા માટે એક વેશ્યાને તેમની ઝૂંપડી પાસે મોકલી. પેલી બાઈ એમ વિચારતી કે હમણાં ઝૂંપડી પાસે મોકલી. પેલી બાઈ એમ વિચારતી કે હમણાં ભજન પૂરાં થાય એટલે હું તેમને ભ્રષ્ટ કરીશ. પણ શ્રી હરિદાસ તો ભક્તિમાં એટલાં બધા તન્મય થઈ જતા કે આખી રાત ભજન ચાલુ જ રહેતાં. આમ બે દિવસ વીતી ગયા. ત્રીજે દિવસે તો આ બાઈ પોતે જ હિંમત હારી ગઈ અને ભજન પૂરાં થતાં મહાત્માના ચરણોમાં નમી પડી. આ ત્રણ રાત્રિઓની ભક્તિની દિવ્ય અસરથી બાઈનું સમસ્ત જીવન પલટાઈ ગયું. તેનામાં ઉત્તમ સંસ્કાર ઊગી નીકળ્યા અને તે પણ શ્રી ચૈતન્યના સત્સંગીઓમાં ગણાવા લાગી. હવે અનેક મનુષ્યો તે બાઈનાં દર્શન કરવા આવવા લાગ્યા; કારણ કે સત્સમાગમના પ્રભાવથી તે પતિતમાંથી યુનિત થઈ ગઈ હતી. | [૩] શ્રી જ્ઞાનેશ્વર મહારાજ મહારાષ્ટ્રના મહાન સંત થઈ ગયા. પૂર્વસંસ્કારના ઉદયને લીધે બાળપણથી જ તેઓની બુદ્ધિ તીવ્ર હતી અને સતત અધ્યયનથી તેઓએ સારું જ્ઞાન પણ સંપાદન કર્યું હતું પણ ભક્તિ પ્રગટ નહોતી થઈ અને જીવનમાં પ્રભુરસનો આસ્વાદ નહોતો આવ્યો. એક વાર તેઓને મહાન ભક્તરાજ શ્રી નામદેવનો પરિચય થયો. તેઓએ થોડા દિવસ તેમનો સમાગમ કરી વિનંતી કરી : “નામદેવદજી, મારે આપની સાથે તીર્થયાત્રા કરવા આવવું છે.” નામદેવજીએ પોતાના સહજ સ્વભાવ મુજબ કહ્યું કે પ્રભુની આજ્ઞા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy