SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૬-૨૦ રત્નાકરાવતારિકા ભાગ-૩ પ્રધાન છે અને તેથી જ તે સ્વતંત્ર છે. તેવી રીતે પ્રમાતા એવો આત્મા પ્રધાન હોવાથી સ્વતંત્ર છે. અને સ્વતંત્ર હોવાથી સાધક છે. તથા સ્વ-પર-વ્યવસિતિરૂપ જે ક્રિયા છે તે કર્તા એવા પ્રમાતાથી જન્ય છે. માટે પરતંત્ર છે. અને પરતંત્ર હોવાથી સાધ્ય છે. જે જે કર્તાજન્ય ક્રિયા હોય છે. તે કર્તાને આધીન હોવાથી 'સાધ્ય' છે એવા વ્યવહારનો વિષય બને છે. જેમ કે વર્તમાન-કાલીન ઓદનાદિની પાક ક્રિયા આદિ કોઈ પણ ક્રિયા, કર્તા એવા પાચકને આધીન હોવાથી પરતંત્રતાના કારણે “સાધ્ય” કહેવાય જ છે. તેવી જ રીતે સ્વ-પરના બોધરૂપ ક્રિયા પણ પ્રમાતાને પરવશ હોવાથી સાધ્ય કહેવાય જ છે. ।। ૬-૧૯૫ ૨૦ આ પ્રમાણે કર્તા એવો પ્રમાતા સ્વતન્ત્ર હોવાથી સાધક છે અને વ્યવસિતિ ક્રિયા કર્તુજન્ય હોવાથી સાધ્ય છે. તેથી પ્રમાતામાં અને ફળમાં સાધ્ય-સાધકભાવ ઘટતો હોવાથી હેતુ અસિદ્ધહેત્વાભાસ ન બનવાથી અમારું (જૈનોનું) અનુમાન સાચું જ છે અને તેથી પ્રમાતા અને ફળ વચ્ચે કથંચિદ્ ભેદ સંભવે જ છે. एनमेवार्थं द्रढयन्ति न च क्रिया क्रियावतः सकाशादभिन्नैव, भिन्नैव वा, प्रति-नियतक्रियाक्रियावद्भावभङ्गप्रसङ्गात् ॥६-२०॥ टीका-अभिन्नैवेत्यनेन सौगतस्वीकृतमभेदैकान्तं, भिन्नैवेत्यनेन तु वैशेषिकाद्यभिमतं भेदैकान्तं प्रतिक्षिपन्ति - क्रियायाः क्रियावत एकान्ताभेदे हि क्रियावन्मात्रमेव (क्रियामात्रमेव वा) तात्त्विकं स्यात्, न तु द्वयम्, अभेद-प्रतिज्ञाविरोधात् । एकान्तभेदे तु क्रियाक्रियावतोर्विवक्षितपदार्थस्यैवेयं क्रियेति सम्बन्धावधारणं न स्याद् । भेदाविशेषादशेषवस्तूनामप्यसौ किं न भवेत् ? । न च समवायोऽत्र नियामकतया वक्तुं युक्तः, तस्यापि व्यापकत्वेन तन्नियामकतायामपर्याप्तत्वात् । तस्माद् भेदाभेदैकान्तपक्षयोः प्रतिनियतक्रिया - क्रियावद्भावभङ्ग-प्रसङ्गः सुव्यक्त इति कथञ्चिदविष्वग्भूतैव क्रिया क्रियावतः સાગાવડી તુંમુચિતા ॥ ૬-૨૦ ॥ કર્તા એવો પ્રમાતા અને સ્વ-પર-વ્યવસિતિ રૂપ ક્રિયા આ બન્ને વચ્ચે સાધ્યસાધકભાવ હોવાથી કથંચિદ્ ભેદાભેદ છે. આ વાત બરાબર મજબૂત કરતા (અને એકાન્ત માનારાઓનું ખંડન કરતા) એવા ગ્રંથકારશ્રી જણાવે છે કે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org,
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy