SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૪૪-૪૫ ૧૯૫ જલાહરણાદિ અર્થક્રિયા ન થતી હોય ત્યારે તે ઘડાને ઘટ કહેવાતો નથી. કારણકે જો જલાહરણાદિ અર્થક્રિયા ન કરતા એવા પણ પદાર્થને ઘટશબ્દથી વાચ્ય માનીએ તો પટકટ-શકટ આદિ અન્ય પદાર્થો (કે જે જલાહરણાદિ ઘટપદાર્થની અર્થક્રિયા કરતા નથી તેવા પદાર્થો)ને પણ ઘટ શબ્દથી વાચ્ય માનવાની આપત્તિ આવે. ઉપરોક્ત યુક્તિ કહેવા પૂર્વક આવા પ્રકારના વચનવિન્યાસ દ્વારા જલાહરણાદિ ક્રિયાથી રહિત એવી ઘટાદિ વસ્તુને ઘટાદિ શબ્દ દ્વારા “વાચ્ય” તરીકે આ એવંભૂતાભાસ નિષેધ કરે છે. તે વાત પ્રમાણથી બાધિત છે. કારણકે હાલ જલાહરણાદિ ક્રિયા ન કરતો, ખુણામાં અધોમુખે મૂકેલો ઘડો ભલે વર્તમાનકાળે ક્રિયા કરતો નથી. પરંતુ ભૂતકાળમાં તેમાં જ જલાહરણ થયું હતું અને ભવિષ્યમાં પણ તેમાં જ જલાહરણ આદિ થવાનું છે. તેવું ભૂતકાળમાં પટ, કટ કે શકટમાં જલાહરણ થયું પણ નથી અને ભવિષ્યમાં થવાનું પણ નથી. તથા જલાહરણનો અર્થ જીવ ખાલી એવા પણ ઘટને લેવા પ્રવૃત્તિ કરશે. પરંતુ પટ, કટ કે શકટને લેવા પ્રવૃત્તિ કરશે નહીં. માટે એવંભૂતની ક્રિયાયુક્ત વસ્તુને જ તે તે શબ્દથી વાચ્ય વસ્તુ કહેવાની જે વાત છે. તે પ્રમાણથી બધિત છે. તેથી આવું એકાન્ત આગ્રહવાળું આ વચન એવંભૂત નયાભાસના ઉદાહરણ તરીકે કહ્યું છે. એમ જાણવું. | ૭-૪૨-૪૩ के पुनरेषु नयेष्वर्थप्रधानाः के च शब्दनया इति दर्शयन्तिएतेषु चत्वारः प्रथमेऽर्थनिरूपणप्रवणत्वादर्थनयाः ॥७-४४॥ शेषास्तु त्रयः शब्दवाच्यार्थगोचरतया शब्दनयाः ॥७-४५॥ આ સાત નિયામાં કેટલા અને કયા કયા નયો અર્થનું (પદાર્થનું-વસ્તુનું) નિરૂપણ કરવામાં પ્રધાનતાવાળા છે. અને કેટલા તથા કયા કયા નયો શબ્દની પ્રધાનતાવાળા છે. તે વાત હવે સમજાવે છે. સૂત્રાર્થ- આ સાત નસોમાં પ્રથમે પહેલા ચારનયો અર્થનું (પદાર્થનું નિરૂપણ કરવામાં પ્રવીણ (તત્પર) હોવાથી અર્થ નવ કહેવાય છે. એટલે કે અર્થની પ્રધાનતાવાળા છે. અને શેષ (બાકીના) ત્રણ નવો શબ્દની પ્રધાનતા વડે વાચ્ય અર્થને વિષય રૂપે કરતા હોવાથી અર્થાત શબ્દની પ્રધાનતાવાળા છે. તેથી એ ત્રણને શબ્દનય કહેવાય છે. IT -૪૪-૪પા આ બે સૂત્રો અત્યંત સ્પષ્ટ હોવાથી સંસ્કૃત ટીકા તેના ઉપર નથી. સારાંશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy