SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ-૭ ઃ સૂત્ર-૩૨-૩૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ જ રીતે ભૂત-ભાવી કાળવર્તી દ્રવ્યને ગૌણ કરવાના અને વર્તમાન કાળવર્તી પર્યાય માત્રને પ્રધાન કરવાના અભાવના પ્રકારે પ્રવર્તનારો જે આશય વિશેષ. તે ઋજાસૂત્રનયાભાસ કહેવાય છે. સારાંશ કે “ગૌણભાવ અને પ્રધાનભાવ' કરવાના અભાવપૂર્વક કેવળ એકાન્ત વર્તમાનકાળ ગ્રાહી અને દ્રવ્યનો સર્વથા અપલાપ કરનારો જે અભિપ્રાયવિશેષ તે ઋજુસૂત્રનયાભાસ જાણવો. જેમકે બૌદ્ધદર્શન. ૧૮૪ બૌદ્ધદર્શનના મતે ‘સર્વ ક્ષળિમ્'' સર્વે પણ વસ્તુઓ ક્ષણ માત્ર જ રહેનારી છે. ક્ષણે ક્ષણે સર્વથા બદલાનારી જ છે. એટલે કે ત્રિકાળવર્તી સ્થિર-ધ્રુવ કોઇ દ્રવ્ય જ નથી એમ માને છે. અને તેથી જ ક્ષણે ક્ષણે વિનાશ પામનારા પર્યાયો જ પારમાર્થિક તત્ત્વ છે. એવું તે દર્શન સમર્થન કરે છે. પરંતુ તે પર્યાયો વર્તે છે જેમાં, એવું તેના આધારભૂત દ્રવ્ય બૌદ્ધદર્શનાનુયાયી જીવો માનતા નથી. વાસ્તવિક રીતિએ જે દ્રવ્ય પ્રત્યભિજ્ઞા આદિ પ્રમાણો વડે પ્રસિદ્ધ છે (કારણકે જો સ્થિર-ધ્રુવ દ્રવ્ય ન હોય તો ‘‘સોડ્યું પુરુષઃ '' ઇત્યાદિ પૂર્વાપર સંકલનાવાળી પ્રત્યભિજ્ઞા કેમ થાય ? તથા ભૂતકાળના વિષયવાળું સ્મરણ કેમ ઘટે ? સ્મરણ વિના અનુમાન કેમ સંભવે ? ઇત્યાદિ દોષોના કારણે દીર્ઘકાળ-સ્થાયી ધ્રુવ દ્રવ્ય છે જ.) છતાં તેવા સ્થિર-ધ્રુવત્રિકાળસ્થાયી એવા દ્રવ્યનો તિરસ્કાર કરનારી વિચારસરણીવાળા એવા તે બૌદ્ધદર્શનના મતને તદાભાસ અર્થાત્ ઋજુસૂત્રાભાસ કહેવાય છે. જે જે દર્શનો પોતાની માન્યતાના એકાન્તવાદી છે. તે સર્વે દર્શનો તેનાથી વિલક્ષણ એવા બીજા પક્ષની અપેક્ષા ન રાખતાં હોવાથી અને તેનો અપલાપ કરતાં હોવાથી તે સર્વે નયાભાસો છે. દુર્નય છે. સુનય નથી. ॥૭-૩૦-૩૧॥ शब्दनयं शब्दयन्ति હવે શબ્દય સમજાવે છે– कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्दः || ૭–૩૨૫ उदाहरन्त શબ્દનયનું ઉદાહરણ આપે છે– यथा - बभूव भवति भविष्यति सुमेरुरित्यादिः ॥७-३३॥ સૂત્રાર્થ-કાલાદિના ભેદથી શબ્દના અર્થભેદને સ્વીકારતો જે નય તે શબ્દ નય છે. ઉદાહરણ તરીકે જે સુમેરુ હતો, જે સુમેરુ છે અને જે સુમેરુ હશે તે ત્રણે ભિન્નભિન્ન છે. ઇત્યાદિ ઉદાહરણો જાણવાં. ॥ ૭-૩૨-૩૩][ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy